SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે વિષયો ભૂંડા છે અને ધર્મ ઉપાદેય છે- એ જ વસ્તુ સમજાવી હતી. તાત્પર્યને સમજે નહિ અને વિરોધનું ઉલ્કાવન કરે તેને કઈ રીતે સમજાવાય? ગણધરભગવન્તો ગણધર ત્યારે થાય છે કે જ્યારે ભગવાનની બધી વાત સાચી માને. બધાની વાત માને તે જ્ઞાની ન બને, જ્ઞાનીની એક પણ વાતને નકારે નહિ તે જ્ઞાની બને. એક વાર સંસાર ખારો લાગ્યા પછી ધર્મ સારો લાગે તો જ તે પરિણામ સાચો. સંસાર ખારો ન લાગે ત્યાં સુધી ધર્મ પ્રત્યે જે રાગ જાગે છે- તે તો બનાવટી છે. આજે આપણને પાપ ખરાબ લાગે છે કારણ કે તે દુઃખ આપે છે, જ્યારે પુષ્ય ખરાબ નથી લાગતું તેનું કારણ એ છે કે એ સુખ આપે છે. આજે ધર્મ કરતી વખતે પણ ધર્મનો આનંદ નથી. સામાયિક કરતી વખતે આનંદ ન હોય એવો આનંદ સામાયિક પારતી વખતે હોય ને? એ આનંદ શેનો હોય? સામાયિક કર્યાનો કે સામાયિક પૂરી થવાનો? પૂર્ણાહુતિનો આનંદ એ તો ક્રિયાની અરુચિને સૂચવનારો છે. - સ. સ્કૂલમાં પણ છૂટ્યાનો ધંટ પડે ત્યારે છોકરાઓને આનંદ થાય છે. આવું કેમ બનતું હશે? જ્ઞાનનું અર્થપણું નથી, માટે. અહીં પણ ગુણનું અર્થીપણું નથી માટે ક્રિયા પૂરી થવાનો આનંદ હોય છે. સ. ગુણનું અર્થપણું ક્યારે પ્રગટે? સંસાર નિર્ગુણ લાગે તો. સ. સંસારને નિર્ગુણ લગાડવા શું કરવું? અમે કહીએ તે માની લેવું. દલીલ કરવા ન બેસવું. સ. ઘરના લોકો સાથે અમારે કેવી વાતો કરવી? આપણે ઘરમાં વાત કરવા નથી બેસવું ઘર છોડવું છે. ઘરના લોકોને આપણે કોઈ હિતશિક્ષા નથી આપવી. જે લોકોને આપણી વાત (૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy