________________
દેવતાઓ શાસ્ત્રો વાંચે અને સાધુભગવન્તો દેવતા થવા મહેનત કરે તો એ કેવી વિષમતા? સુખના ઢગલા વચ્ચે જ્ઞાન ચાદ આવે તે સાચો વૈરાગ્ય છે. દુઃખના ઢગલા વચ્ચે ભગવાન યાદ આવે તે વૈરાગ્ય નથી.
તમારે જે શંકા હોય તે પૂછી લો. અહીં મૌન રહો અને બહાર જઈને મારા નામે ગપ્પાં મારો એ નીતિ સારી નથી. તમે અમારી વાતને ખોટી કહેશો એમાં અમને કોઈ નુકસાન નથી. પણ અમે કહેલી વાતને ખોટી માની લો, તેનો કોઈ જાતનો ખુલાસો કરવા અમારી પાસે ન આવો અને એની ઉપેક્ષા કરો તો નુકસાન તમને છે. ભગવાનની વાત આપણે ન માનીએ તેમાં નુકસાન ભગવાનને છે કે આપણને?
આજે વિષયો ભૂંડા લાગે છે માટે આપણે ધર્મ કરીએ છીએ એવું નથી, વિષયો સારા મળે છે માટે ધર્મ કરીએ છીએ એવી જ દશા છે ને? આજે સાધુપણામાં આવીને વિષયો જ ગમતા હોય તો શું કરવું? આજે તો વિષયાભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ' એવો શાસ્ત્રપાઠ લોકોની આગળ રજૂ કર્યો પણ વિષયની અભિલાષા તોડવા માટે ધર્મ કરવો જોઈએ એ વાત શાસ્ત્રના પાને પાને લખેલી હોવા છતાં તેને છુપાવવાનું કામ કર્યું. આવા લેભાગુઓ પાસે ધર્મ સમજવા જાઓ તો તમારી શી દશા થાય?
સ. શાસ્ત્રમાં બે વાત લખવાના બદલે એક જ વાત લખી હોત
તો?
એક પદના કારણે તો ગણધરભગવંતોને પણ બોધ થયો ન હતો. તેથી તેમણે વિં તત્ત્વમ્' એમ બે વાર પૂછ્યું હતું અને ત્રિપદી સમજાયા પછી દ્વાદશાંગીની રચના કરી હતી. જેને જે રીતે સમજાય તે રીતે તત્ત્વ સમજાવવા માટે અનેક રીતે વાતો શાસ્ત્રોમાં લખેલી હોય પણ એના કારણે મુખ્ય પદાર્થ બદલાઈ ન જાય. બે વાત કરીને પણ
Jain Education International
૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org