SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - આ સંસારમાં દુઃખ છે માટે નહિ, સંસાર નિર્ગુણ છે માટે તેની પ્રત્યે દ્વેષ જાગે તે વૈરાગ્યનું કારણ છે. આજે તો અમારાં સાધુસાધ્વી પણ મુમુક્ષુને સમજાવે કે સંસારમાં રાંધવાની કમાવાની કડાકૂટ, જેઠાણી-દેરાણી, સાસુ-સસરાનું માનવાનું દુઃખ છે. દીક્ષામાં એ કશું નથી. આ રીતે સમજાવીને દીક્ષા આપે તે વૈરાગ્યથી વાસિત બનાવે કઈ રીતે? સ. ભગવાને ગૌતમસ્વામીજીને ખેડૂતને પ્રતિબોધવા મોકલ્યા ત્યારે પેલો પ્રતિબોધ પામીને ઘરભેગો થયો છતાં ભગવાને કહ્યું કે બોધિબીજ પામી ગયો. તેવું અમારા માટે ન બને? ભગવાન જ્ઞાની હતા માટે એવું કરે. અમે જ્ઞાની નથી માટે અમારે તો ભગવાનના વચનને અનુસારે જ પ્રવૃત્તિ કરવાની. અમારે તો વૈરાગ્યની પરીક્ષા કરીને પછી જ દીક્ષા આપવાની. ભગવાન જ્ઞાની હતા અને ગૌતમસ્વામીજી ભગવાનના કહેવાથી ગયા હતા. જ્ઞાની કરે તે માર્ગ નથી, જ્ઞાની જે કહે તે માર્ગ છે. એટલું યાદ રાખવું. આજે સાધુસાધ્વી પણ અવિરત કેવી ભૂંડી છે અને કઈ રીતે સાધનામાર્ગમાં અટકાવે છે ? એનો વિચાર જ નથી કરતા. તેમને પણ અનુકૂળતા ગમવા માંડી છે. આયંબિલખાતું સરસ છે, ઉપાશ્રય સરસ છે, ક્ષેત્ર સરસ છે : એવી અનુમોદના કરવા બેસે તેને સિદ્ધિક્ષેત્ર સારું લાગે- એ વાતમાં માલ નથી. સંસારનો અભિલાષ જ આપણને સંસારમાં રાખે છે. આથી જ ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે તષ્ઠિોચ્છેદ્રરૂપ- સંસારના સુખની ઈચ્છાનો ઉચ્છેદ કરવાની ભાવના સ્વરૂપ જ આ વૈરાગ્ય છે. આજે સુખના અર્થીઓએ ધર્મને ચાળીને વેરણછેરણ કરી નાંખ્યો છે. આજે સાધુસાધ્વીઓએ પણ અનુકૂળતા આપીને લોકોને ધર્મ કરતા કર્યા છે. એના કારણે ધર્મ કરવા છતાં ધર્મ પામી શકાતો નથી. સુખ ઉપરની નફરત તેનું નામ વૈરાગ્ય છે. દુઃખ ઉપરની નફરત એ તો ભોગની આસક્તિ છે. જેને સંસારમાં ૧૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy