SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ * ભગવાનનું વચન કે ગુરુનું વચન સમજવામાં કષ્ટ છે, પાળવામાં નહિ. વચનની કિંમત સમજાય તેને પાળવામાં કષ્ટ ન લાગે. * પૈસો ડાબા હાથનો મેલ(વિષ્ટા) છે-એવું જાણ્યા પછી, માન્યા પછી એટલો નિયમ લેવો છે કે-જે પૈસો ગયો છે તેની આશા મૂકી દેવી છે જે આપણી ઉઘરાણી કોઈ આપતું ન હોય તો ગયા ભવનું દેવું ચૂકવવાનું બાકી હશે તો હિસાબ પૂરો થઈ ગયો-એમ સમજીને છોડી દેવું છે ? અધમ પણ ઉઘરાણી માટે ધમપછાડા કરે ને ઘમય ધમપછાડા કરે તો બેમાં ફરક શું ? * શરીર કેટલું કામ આપે છે એ જોવાને બદલે શરીર પાસે કેટલું કામ લેવાનું છે તેના ઉપર નજર માંડવાની જરૂર છે. શું થશે ?' એની ચિંતા કરવાને બદલે શું કરવાનું છે ?' તેની ચિંતામાં મગ્ન બનીએ તો કર્તવ્યપાલનમાં ચાશ ન આવે. સુખને ત્યાગ કરવાનું અને દુઃખને વેઠી લેવાનું સત્ત્વ, “શું કરવાનું છે?' એ ચિંતામાંથી પ્રગટે છે. ભગવાને શું કરવાનું કહ્યું છે ને મારે કરવાનું છે? : આ બે ઉપર નજર સ્થિર હોય તો ગમે તેવા કપરા સંયોગોમાં પણ સહનશીલતા આવે અને સુખની લાલસા ન સતાવે. * જેને ભગવાનનું વચન ગમે તેને જ ભગવાનનું દર્શન ફળે. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy