SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * જે ક્રોધ કરે તે ધર્મ કરવા માટે યોગ્ય નથી. જેનું માથું ગરમ હોય તેણે ધર્મ કરવાની ઉતાવળ ન કરતાં પોતાનો સ્વભાવ સુધારવા માટે સૌથી પહેલાં મહેનત કરવી. દુઃખ ગમતું નથી અને સુખ ગમે છે માટે ગુસ્સો આવે છે. સામા માણસનું વર્તન ખરાબ હોવાના કારણે જ ગુસ્સો આવે છે-એવું નથી. સામાનું વર્તન આપણને ગમતું નથી માટે ગુસ્સો આવે છે. આપણા સુખમાં ખામી આવે, આપણી ઈચ્છાઓ પૂરી ન થાય અને આપણને દુઃખ વેઠવું પડે ત્યારે ગુસ્સો આવે છે. તેવા વખતે; “ગુસ્સો કરવાના કારણે સુખ આવી નથી જતું અને દુઃખ જતું નથી રહેતું તો ગુસ્સો શા માટે કરવો ?'-આટલું પણ વિચારીએ તોય ગુસ્સો શાંત થયા વિના ન રહે. ધર્મ ઓછો થાય તો વાંધો નહિ પણ ગુસ્સો તો થોડો પણ ન ચાલે. દાન ઓછું અપાશે તો ચાલશે, તપ ઓછો થશે તો ચાલશે, સ્વાધ્યાય ઓછો થશે તો ચાલશે, વૈયાવચ્ચ ઓછી કરશો તો ચાલશે પણ ગુસ્સો કરશો-એ નહિ ચાલે. આપણે ગુસ્સો કરવો પડતો હોય તો તેવી ક્રિયા કરવા પહેલાં ગુસ્સો કાઢવા પ્રયત્ન કરવો. ધર્મ કરવાની ના નથી, ગુસ્સો કાઢવાની વાત છે. એક વારના ગુસ્સાથી જો કરોડો(દેશોનપૂર્વક્રોડ) વરસો સુધી પાળેલું સાધુપણું પણ નકામું જતું હોય તો આપણો ક્રોધ સાથે કરેલો ધર્મ ક્યાંથી ફળવાનો હતો ? ગુસ્સાના કારણે સાધુભગવંતો સાધુપણું હારી જતા હોય તો આપણા ગુસ્સાથી આપણને સાધુપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy