SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા હોય તોય ધર્માત્મા કહેવડાવવા લાયક નથી. કીડી વગેરેને જયણાપૂર્વક ખસેડનારા; પોતાનાં માબાપ સાથે, પોતાના સગા ભાઈઓ સાથે કે પત્ની-પુત્રો સાથે નઠોરતાથી વર્તતા હોય તો તેવાઓ ધર્મ કરીને પણ ધર્મને વગોવવાનું જ કામ કરે છે. * જે સાધુઓ ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળે તેઓ મોલમાં જાય છે, જેને આજ્ઞાપાલનમાં ક્યાશ આવે છે તે સાધુઓ સદ્ગતિ(દેવલોકોમાં જાય છે અને જે સાધુઓ ભગવાનની આજ્ઞાને વિરાધે છે તેઓ નરકાદિ દુર્ગતિમાં જાય છે. જો સાધુપણું પણ ભગવાનની આજ્ઞા મુજબ પાળવામાં ન આવે તો દુર્ગતિમાં લઈ જાય તો ગૃહસ્થપણાનો જે કાંઈ થોડોઘણો ધર્મ કરીએ તે આજ્ઞા મુજબ કરવાના બદલે આપણી ઈચ્છા મુજબ જેમ ફાવે તેમ કરવામાં આવે તો શી દશા થાય ? * જેવી રીતે રૂપિયાના સિક્કા સમુદ્રમાં ડૂબી જાય છે પણ તેનાથી બનાવેલું વહાણ ડૂબતું નથી પણ તરે છે અને તારવાનું કામ કરે છે તેવી રીતે પૈસો સંસારમાં ડુબાડનારો છે પણ એનો જો સાત ક્ષેત્રમાં સદુપયોગ કરવામાં આવે તો એ જ પૈસો તારનારો બને છે. આનો અર્થ એ નથી કે-સાત ક્ષેત્રમાં ખરચવા માટે ધન કમાઈ શકાય. આ તો; જેઓ ધનનું મમત્વ ઉતારીને સાધુ થઈ શક્યા નથી અને સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy