SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા છે તેમ જ સંસારમાં રહીને પોતાના કે કુટુંબના નિવહ માટે અથવા ધનના લોભે કમાઈ રહ્યા છે તેવાઓને ધનનું મમત્વ ઉતારવાનો ઉપાય છે. ધન તો ભૂંડું છે જ, તેને કમાવાનો ઉપદેશ શાસ્ત્રકારો આપે જ નહિ. જે ભૂંડું છે તેને કેમ છોડવું અને ન છૂટે ત્યાં સુધી તેનાથી કેવી રીતે બચવું તેનો ઉપાય જ શાસ્ત્રકારો બતાવે. * વર્તમાનમાં આપણે જે થોડોઘણો ધર્મ કરીએ છીએ તે જીવનમાં પાપ ઘણું વધી ગયું છે માટે પાપથી બચવા માટે કરીએ છીએ ? કે સુખ ભોગવવાનું પુણ્ય ઓછું પડે છે માટે કરીએ છીએ ? કે જે પાપ કરીએ છીએ તેને ઢાંકવા માટે થોડુંઘણું પુણ્ય કરીએ છીએ ? વર્તમાનમાં જે પાપ કરીએ છીએ તેની સજા માફ થઈ જાય એ માટે જ થોડોઘણો ધર્મ કરીએ છીએ ને ? માટે જ આ ધર્મથી ઠેકાણું પડતું નથી. ધર્મ, પાપની સજા માફ કરવા નહિ પાપથી દૂર રહેવા માટે કરવાનો છે. ભૂતકાળના પાપની સજા(દુઃખ) મજેથી ભોગવી લે અને નવાં પાપોથી આઘા રહેવા માટે તત્પર બને તેનું નામ ધર્માત્મા. * દેરાસર તેણે જવું કે જેને ઉપાશ્રયે જવાનું મન હોય. દેરાસરમાં જે મોક્ષસુખ માંગી આવો છો તેનું સાધન તો ઉપાશ્રયમાં મળવાનું છે. દેરાસરમાં ભગવાનના ચૈત્યવંદનમાં જાવંત કેવિ સાહૂ બોલો ને ? સ્તવન-સ્તુતિ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy