SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ કેમ નભાવાય ? * ધર્મ ભગવાનની આજ્ઞામાં છે, આપણી ઈચ્છામાં નહિ. સારું છે કે જે ભગવાનની આજ્ઞા મુજબનું હોય. આપણી ઈચ્છા મુજબ કરેલું સારું પણ સારું રહેતું નથી. ભગવાનની આજ્ઞા મુજબ કરેલો ધર્મ એ જ શુદ્ધ ધર્મ છે, આપણી ઈચ્છા મુજબ કરેલો ધર્મ તો અશુદ્ધ ધર્મ છે. કરોડો રૂપિયાથી ખરીદેલો ખોટો હીરો જેમ કામ નથી લાગતો તેમ ઘણી મહેનતે કરેલો અશુદ્ધ ધર્મ કામ નથી લાગતો. ધર્મ કરવો કઠિન નથી, આજ્ઞા મુજબનો ધર્મ કરવો કઠિન છે, બાકી ઈચ્છા મુજબ તો ઘણા કષ્ટવાળો પણ ધર્મ કરવો સહેલો છે. ઈચ્છા મુજબ માસક્ષમણ કરવું સહેલું પણ ઈચ્છા વગર આજ્ઞા ખાતર નવકારશી કરવી-એ કઠિન છે. માટે ધર્મ કરવાની ઉતાવળ કરવાને બદલે સ્વચ્છંદીપણાને દૂર કરવા અને આજ્ઞાપાલનને યોગ્ય બનવા મહેનત કરવાની જરૂર છે. * જ્યારે પણ તરતાં શીખવાની ઈચ્છા થાય ત્યારે પાણીમાં ડૂબકી મારવી જ પડશે. તેમ જ્યારે પણ સંસારથી પાર પામવાની ઈચ્છા થાય ત્યારે કષ્ટમય પણ સાધુપણામાં ઝંપલાવવું જ પડશે. આપણે દુઃખથી ભાગાભાગ કરીને ગમે ત્યાં જઈએ; દુ:ખને આપણાં બધાં સરનામાં ખબર છે, ગમે ત્યાંથી પણ આપણને પકડી પાડશે. દુઃખથી ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy