SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આજે પૂજા કરવામાં કે ચારિત્રના પાલનમાં ઉત્સાહ નથી આવતો તે આ ભાવની ખામીનો પ્રભાવ છે. * સાધુસાધ્વીજી ભગવંત પ્રત્યે વિનય અને બહુમાનભાવ કેળવવાથી ચારિત્રમોહનીયકર્મ દૂર થાય છે અને ચારિત્ર ઉદયમાં આવે છે. સાધુસાધ્વીને તમારા વિનયબહુમાનની જરૂર નથી, પણ તમારે તરવું હોય અને દુષ્કૃત્યનો ભાર ઓછો કરવો હોય તો આ વિનયબહુમાન કેળવ્યા વગર નહિ ચાલે. તમે જો વિનયબહુમાન નહિ કરો અને અવિનય કરશો તો તમને જ ચારિત્રમોહનીય બંધાશે. કારણ કે ચારિત્રસંપન્ન આત્માઓની અવજ્ઞા કરવાથી ગાઢ ચારિત્ર મોહનીયકર્મ બંધાય છે. વર્તમાનમાં જાણવા-સમજવા છતાં ચારિત્ર લેવાનું મન નથી થતું તે ભૂતકાળની આવી જ કોઈ વિરાધનાનો પ્રભાવ છે ને ? * પૈસાથી બહુ બહુ તો સંસારનાં સુખનાં સાધનો મળશે, તે ય નસીબમાં હશે તો ! બાકી જ્ઞાન કે સંસ્કાર પૈસાથી નથી મળતા. વડીલજનોની-ગુરુભગવંતની પ્રસન્નતાથી જ્ઞાન અને સંસ્કાર મળે છે અને એ પ્રસન્નતા મેળવવા માટે વડીલજનોનો-ગુરુભગવંતનો વિનય કર્યા વગર નહિ ચાલે. જેઓ આ સંસારમાં પોતાની ઈચ્છાથી રહ્યા છે તે અધમ બુદ્ધિવાળા જીવો છે. જેઓ આ સંસારથી છૂટી શકાતું ન હોવાથી સંસારમાં રહ્યા છે તે મધ્યમબુદ્ધિવાળા જીવો છે ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy