SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બોલીને આપવું અને આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો: આ પાંચ દાનનાં દૂષણો છે. * દાન આપતી વખતે આંખમાં આનંદ-હર્ષનાં આંસુ આવે, શરીર રોમાંચિત થાય, હૈયામાં બહુમાનભાવ-સંસારથી નિસ્તરવાનો ભાવ- હોય, પ્રિય વચન બોલીને અપાય અને આપ્યા બાદ અવસરે અવસરે તેની મનથી અનુમોદના કરાય : આ પાંચ દાનનાં ભૂષણો છે. * સુપાત્રદાન આપતી વખતે એક બાજુ દેય(આપવાયોગ્ય). વસ્તુની ધારા હોય, બીજી બાજુ આંખમાં હર્ષનાં આંસુની ધારા વહેતી હોય અને હૈયામાં તરવાના ભાવની ધારા વહેતી હોય : આ ત્રણ ધારા ભેગી થાય તો ધર્મવૃક્ષ એવું સીંચાય કે જેથી મોક્ષફળ વહેલી તકે પ્રાપ્ત થાય. * ધર્મ આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા કરવાના આશયથી કરવાનો છે. વર્તમાનમાં આ આશયથી ધર્મ કરનારા કેટલા મળે ? તમે ધર્મ ક્યા ઈરાદે કરો છો ? તમને અષ્ટપ્રકારી પૂજા કરવાનું અને અમને અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવાનું ફરમાવ્યું છે તે પણ આઠ કર્મોને દૂર કરીને આઠ પ્રકારના સિદ્ધના ગુણો પામવા માટે ફરમાવ્યું છે. જ્યાં સુધી આઠ કર્મને દૂર કરીને આઠ ગુણો મેળવવાની તાલાવેલી નહિ જાગે ત્યાં સુધી અષ્ટપ્રકારી પૂજામાં કે અષ્ટપ્રવચનમાતાના પાલનમાં મજા નહિ આવે, ભલીવાર પણ નહિ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy