SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ મહાત્મા થઈ પરમાત્મા બની શક્યા. ક લોકોમાં માન મેળવવું છે, વટ પાડવો છે માટે પૈસા ખરચવા એ સંપત્તિનું પ્રદર્શન અને ધનની મમતા ઉતારવા માટે પૈસા ખરચવા તે સંપત્તિનો સદુપયોગ. * જેમાં આપ્યા પછી પાછું મેળવવાની ભાવના ન હોય તેમ જ માન મેળવવાની પણ ભાવના ન હોય તે જ સાચું દાન કહેવાય. જે પૈસાને કચરાજેવો તુચ્છ માને તે જ સાચું દાન કરી શકે. ક્યરો નાખતી વખતે પાછો મેળવવાની કે માન મેળવવાની ભાવના હોય છે ? પૈસાને કીમતી માનનાર ઉદારતાપૂર્વક દાન ન આપી શકે. * દાન આપ્યા પછી પ્રગટ કરવાથી દાનનું ફળ નાશ પામે છે. નામ માટે કે માન માટે પૈસો આપવો-એ દાનધર્મ નથી, સોદો છે. નામ માટે દાન આપનારનું દાનનું પુણ્ય તો, નામનું પાટિયું મરાતાંની સાથે કે નામ જાહેર થતાંની સાથે જ પૂરું થાય છે. દાન તો આ ચાર ગતિમય સંસારથી છૂટીને મોક્ષે જવા માટે આપવાનું છે; દેવલોકનાં સુખો મેળવવા, સંસારમાં સુખી થવા કે દાનેશ્વરી-ધમ કહેવડાવવા માટે નથી આપવાનું. * અનાદરપૂર્વક આપવું, વિલમ્બે આપવું, વિમુખ થઈને મોટું બગાડીને આપવું, વિપરીત એટલે કે કડવાં વચનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy