SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે ? તમને સુખ મળ્યાનો આનંદ છે કે ધર્મ મળ્યાનો ? સંસારના સુખની સામગ્રી આપનાર પુણ્યમાં આનંદ પામવો એ પાપનું કારણ છે અને ધર્મસામગ્રી આપનાર પુણ્યમાં આનંદ પામવો એ ગુણનું કારણ છે. અર્થ(પૈસા) માટે અને કામ(મોજમજાહ) માટે આ લોકમાં જેઓ અનીતિ, કરચોરી વગેરે પાપ કરવામાં રસ ધરાવે છે અને તક મળે તો અનીતિ વગેરે પાપ કરીને પૈસો મેળવી લે છે અને ઉપરથી આ રીતે અનીતિ કરીને પૈસો મેળવ્યો તેમાં પોતાની હોશિયારી અને બડાઈ માને છે, એવા અનીતિખોરોને પરલોક્માં ચપ્પણિયું લઈને માંગતાં પણ ભીખ નહિ મળે. અન્યાય કરવાથી, કાળાંધોળાં કરવાથી, પ્રપંચ કરી, ખોટું બોલીને કમાવાથી કે લાભ મેળવવાથી લાભાંતરાયકર્મ જોરદાર બંધાય છે. ને જેને લાભાન્તરાય કર્મનો ઉદય જોરદાર હોય તેને ભીખ માંગતાં પણ ભીખ ન મળે. ઉદાર માણસો પણ તેમના માટે અનુદાર જેવા બની જાય છે. * પુણ્યથી જે સુખ ન મળ્યું હોય તેને ઈચ્છે નહિ અને જે સુખ મળી ગયું હોય તેને છોડવા માટે મથે તેનું નામ ધર્માત્મા. ધન્નાજી, શાલિભદ્રજી વગેરેએ પુણ્યથી મળતાં સુખો મેળવવાની ઈચ્છા કરી ન હતી અને મળી ગયેલાં એ સુખોને છોડવા માટે મહેનત કર્યા વગર તેઓ રહ્યા નથી, આથી જ Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy