SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આશા મૂકીને દુ:ખ ભોગવવા તૈયાર થવું, એ સમાધિ મેળવવાનો ઉપાય છે. ‘જે સુખ નથી મળ્યું તે જોઈતું નથી, જે મળ્યું છે તેય જાય તો પરવા નથી અને દુ:ખ ગમે તેટલું આવે તોય ચિંતા નથી. ભગવાનનું શાસન મળ્યું છે, ગમે તેવા સંયોગોમાં જીવતાં આવડે છે. મારા ભગવાને સુખ છોડ્યું ને દુ:ખ સામેથી ઊભું કરીને ભોગવ્યું; મારા ગુરુ પણ સંસારનાં સ્વાધીન સુખોને છોડીને પોતાની ઈચ્છાથી દુ:ખ ઊભું કરી-કરીને વેઠે છે. હું તેમની જેમ સુખ છોડી ન શકું ને દુ:ખ ઊભું કરીને ન વેઠું-એ બને પણ સુખ ચાલ્યું જાય અને દુ:ખ આવે તો રોવા બેસું-એ કેમ ચાલે ?’... આવા વિચારો કરીએ તો સમાધિ આપણી હથેળીમાં જ છે. * જે બીજાના અનુભવથી સુધરે તે નસીબદાર, જે પોતાના અનુભવથી સુધરે તે કમનસીબ અને જે પોતાના અનુભવે પણ ન સુધરે તે મહામૂર્ખ. * માત્ર પ્રવૃત્તિ બદલવાથી ધર્મ ન આવે, હૈયું બદલાય તો ધર્મ આવે. ધર્મક્રિયાઓ કરવાથી કદાચ ધર્મી કહેવાઈશું પણ ધર્મી બનવું હશે તો હૈયું સુધારવું પડશે. હૈયામાં સુખ ભોગવવાની ઈચ્છા ઠાંસી-ઠાંસીને ભરી મૂકેલી હોય તો હૈયામાં ધર્મ પેસે ક્યાંથી ? * દુ:ખ ટાળવાની અને સુખ ભોગવવાની લાલચમાંથી બધાં પાપસ્થાનકો ઊભાં થાય છે. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy