SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ * લોકોના હૈયામાં પોતાનું માનસન્માન વધે તેવો પુરુષાર્થ કરવો-એ શાસનપ્રભાવના નથી, જાતપ્રભાવના છે. ભગવાનનું શાસન લોકોના હૈયે વસે તેવો પુરુષાર્થ કરવો તેનું નામ શાસનપ્રભાવના. * જે બીજાની સમાધિનો વિચાર કરે તેને સમાધિ મળે. જે બીજાને દુઃખી કરે તે પોતે સુખી ક્યાંથી થઈ શકે ? આપણને સમાધિ જોઈતી હોય તો બીજાને અસમાધિ ન થાય તે રીતે જીવતાં શીખી લેવું. * આપણે પુણ્યના આધારે નથી જીવવું, સમજણના આધારે જીવવું છે. પુણ્યથી મળેલ સુખો, અનુકૂળ સંયોગો ઓચિંતાના ક્યારે જતાં રહેશે એ કાંઈ કહી શકાય એવું નથી. એવા વખતે આપણી સમજ કામે લગાડીએ તો જ શાંતિ ને સમાધિથી જીવી શકાય એવું છે અને પુણ્યના ઉદય વખતે ય જો સમજણના આધારે જીવીએ તો અશાંતિ થવાનો વખત જ ન આવે. * સુખ જવાથી અને દુઃખ આવવાથી અસમાધિ થાય છે એવું નથી. સુખ જોઈએ છે ને દુઃખ જોઈતું નથી” આ પરિણામના કારણે અસમાધિ થાય છે. તેથી, સુખ જેટલું ઓછું પડે તેટલું પૂરું કરવા મથવું અને દુઃખ આવતાંની સાથે કાઢવા મંડી પડવું-એ સમાધિ મેળવવાનો ઉપાય નથી. સુખની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy