SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ * બુદ્ધિ અને હૈયું નિર્મળ બન્યા વગર કરેલો ધર્મ કામ નહિ લાગે અને બુદ્ધિ અને હૈયાને નિર્મળ બનાવવા માટે સારામાં સારો ઉપાય એક જ છે કે રોજ સુગુરુ પાસે એકાગ્રચિત્તે જિનવાણીનું શ્રવણ કરવું. * ધર્મદેશના(વ્યાખ્યાન); નવરા છીએ માટે નથી સાંભળવાની, કંઈક પામવા માટે સાંભળવાની છે. પામવાની ભાવનાપૂર્વક દેશના સાંભળી હોય તો ચોક્કસ પરિણામ સુધર્યા વગર ન રહે. આપણું કલ્યાણ કરનારા ત્રણ લોકના નાથ એવા ભગવાન અને નિગ્રંથ(ત્યાગી) ગુરુઓ મળ્યા પછી પણ તેમની આજ્ઞામાં રહેવાના બદલે આપણું અકલ્યાણ કરનારા ઘરના લોકોની આજ્ઞામાં રહેતા હોઈએ તો આપણા જીવતરમાં ધૂળ પડી : એવું તમને નથી લાગતું ? દુનિયાના લોકો ખોટું પણ બોલતા હોય છે, આવું જાણવામાનવા છતાં લોકોની વાત માનીને પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જઈએ છીએ. જ્યારે અનંતજ્ઞાની ભગવંતો ક્યારેય જૂઠું બોલતા નથી એવું માન્યા પછી પણ તેમના વચન મુજબ પ્રવૃત્તિ કરવા માટે આપણે તૈયાર નથી : આ આપણી કેવી વિચિત્ર દશા છે ? * જે દિવસે મન દુ:ખ વેઠવા તૈયાર થશે તે દિવસે શરીર પણ Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy