SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પરાષ્ટિની સઝાય કહેવાય છે અને એ ધ્યાનના વિષયથી અભિન્ન એવા જ્ઞાનના પ્રતિભાસને સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યેયાકાર-પરિણત જ્ઞાન સમાધિ છે. અપ્રશસ્ત અર્થ-કામાદિ સ્વરૂપ ધ્યેયની સાથે આવી સમાધિ જીવનમાં આજ સુધી અનંતીવાર અનુભવી છે. પરંતુ પ્રશસ્ત વિષયમાં એવી સમાધિ મુખ્યતયા અહીં આઠમી દષ્ટિમાં આઠમા ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે. સત્તામાં રહેલા કર્મનો સર્વથા અનુદય-એ ઉપશમ છે. સત્તામાં રહેલા કર્મનો શુદ્ધ અથવા તો મંદરસયુક્ત સ્વરૂપે ઉદય-એ ક્ષયોપશમ છે. તાદશકર્મના વિપાકને ઉદય કહેવાય છે અને કર્મના ક્ષયને સાયિકભાવ કહેવાય છે. સમાધિના કારણે અહીં મોહનીયાદિ કર્મના પૂર્ણ ક્ષયોપશમે શાસ્ત્રયોગનો કોઈ ઉપયોગ નથી. શાસ્ત્રયોગ દ્વારા મળેલા સાધનનો ઉપયોગ સર્વથા કરી લેવાના કારણે તે સાધનનો ઉપયોગ રહેતો નથી. માત્ર દિદક્ષા(પરતત્ત્વને જોવાની ઉત્કટ ઈચ્છા)ને લઈને પૂર્વકાલીન પ્રવૃત્તિ પ્રવર્તતી હોવા છતાં તે; આસ-આસક્તિથી સર્વથા રહિત છે. આથી જ પ્રવૃત્તિ સ્વભાવસ્થ બની જતી હોય છે. આ જ અનુષ્ઠાન સરસ છે'-આવા પ્રકારની બુદ્ધિને આસ-અભિષ્ય કહેવાય છે. આવી બુદ્ધિના કારણે બહુ બહુ તો તે તે અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. પરંતુ ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનોની પ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિમાં મુમુક્ષુઓ દ્વારા ઈષ્ટ સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. તેથી આમ જોઈએ તો પૂર્વસાધનો પણ અકિંચિત્કર-નિરર્થક બને છે. પ્રવૃત્તિની સાર્થતા ઈષ્ટસ્થાનની પ્રાપ્તિમાં જ છે. આસફ વિનાની પ્રવૃત્તિ આ રીતે મુમુક્ષુઓને કૃતકૃત્ય બનાવે છે. પૂર્વના સંસ્કારોના કારણે દેખાતી પ્રવૃત્તિ વસ્તુતઃ કોઈ વિશિષ્ટ ફળને આપનારી હોતી નથી. એટલે પરમાર્થથી તો અહીં યોગી પ્રવૃત્તિ વિનાના હોય છે. આ જ આશયથી ગાથામાં નિરતિચારપદ... ઈત્યાદિનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy