SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૩ ઈન્દ્રાદિદેવતાઓને પણ નથી. બાહ્યદષ્ટિએ એ સુખની પ્રતીતિ સામાન્ય લોકોને કેમ થતી નથી-એનું કારણ ત્રીજી ગાથાથી જણાવાય છેનાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી, _Iભવિકા માયા તાત્પર્ય એ છે કે-નગરમાં રહેનારને જે સુખ-સગવડ છે, તે ગામડામાં રહેનાર જાણતો નથી અને પરણેલી કન્યા પતિના સમાગમના સુખને જે અનુભવે છે તેને કુમારિકા જાણતી નથી. કારણ કે ગામડામાં રહેનારને અથવા તો કુમારિકાને તે તે સુખનો અનુભવ જ નથી. તે તે સુખના અનુભવને યોગ્ય એવા સંયોગો પણ નથી. આવી સ્થિતિમાં તે બન્નેને તે તે સુખનું જ્ઞાન ન હોવા છતાં, નગરમાં રહેનારને અથવા તો પરણેલી કન્યાને જેમ તે તે સુખનો અભાવ નથી, તેમ સાતમી દષ્ટિમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનકના સ્વામીને ધ્યાનનું જે સુખ છે તે સુખને અનુભવ્યા વિના સામાન્યજનો ન જ જાણે-એ સમજી શકાય છે. આવા સુખનો અનુભવ કરવા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકે પહોંચવું પડશે, સંસારનાં સુખોનો લોભ સર્વથા દૂર કરવો પડશે અને પ્રાણાંત કષ્ટોને વેઠવા માટે તત્પર બનવું પડશે. આ ભવમાં આવા કોઈ સંયોગો ઊભા થાય-એવી શક્યતા એક સ્વપ્ન છે. પરંતુ ધ્યાનના કારણે ઉત્પન્ન થનારા સુખનો અનુભવ કરવાની સાચી ઈચ્છા જાગે તોપણ પ્રભા દષ્ટિની પ્રભા આપણી ઉપર પડી છે એવું માની લેવામાં કશું જ ખોટું નથી. ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને ધ્યાનજન્ય નિરંતર સુખ હોય તો તે મુજબ ધ્યાન પણ તેઓશ્રીને નિરંતર હોવું જોઈએ-એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy