SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કાન્તાદષ્ટિની સઝાય ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દરિ રે ભવસાયર તરે, લહે વળી સુયશસંયોગ, ધનવાલા આશય એ છે કે જે લોકો સંસારનાં કર્મજન્ય સુખોને વાસ્તવિક સુખ માને છે તેઓ તેની લાલચના કારણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ નહિ કરતાં સંસારમાં જ ઊભા રહી જાય છે. પરંતુ જે યોગીઓએ સંસારનાં સુખોને અપારમાર્થિક માન્યાં છે, તેઓ તેવાં સુખોની વચ્ચેથી કોઈ પણ જાતની દ્વિધા વિના મોક્ષમાર્ગ તરફ અવિરતપણે પ્રયાણ કરતા જ રહે છે. આથી સ્પષ્ટ છે કે પાંચેય ઈન્દ્રિયોના વિષયોપભોગને અપારમાર્થિક માનવાના બદલે પારમાર્થિક માનનારાને સંસારનો ભય ટળતો નથી. વિષયભોગને તાત્વિક માનવાથી તે પ્રવૃત્તિથી તેઓ દૂર થઈ શક્તા ન હોવાથી સંસારમાંથી સહેજ પણ ખસતા નથી. છઠ્ઠી કાન્તાદષ્ટિમાં યોગીઓ વિષયોપભોગને મિથ્યા-અપારમાર્થિક માનતા હોવાથી ભોગોના ઢગલામાંથી પણ તેઓ કોઈ પણ જાતના વિદન વિના મોક્ષમાર્ગ તરફ ખૂબ જ દઢતાથી ચાલવા માંડે છે. ભૂતકાળના તેવા પ્રકારના કર્મથી ખેંચાયેલી ભોગની પ્રવૃત્તિ પણ પારમાર્થિક ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરવા સમર્થ બનતી નથી. દીપકનો નાશ કરનાર વાયુ દાવાનળનો નાશ કરવા જેમ સમર્થ નથી, તેમ પ્રબળ એવી ધર્મશક્તિનો નાશ કરવાનું સામર્થ્ય કર્માકુટ ભોગશક્તિમાં હોતું નથી. ધારણા અને મીમાંસા વગેરેના અચિત્યસામર્થ્યથી કાન્તાદષ્ટિમાં ધર્મશક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. એની અપેક્ષાએ કર્મથી આકૃષ્ટ ભોગશક્તિ ખૂબ જ નિર્બળ હોય છે. આથી સર્વથા નિર્બળ એવી ભોગપ્રવૃત્તિ કોઈ પણ રીતે અહીં ધર્મપ્રવૃત્તિનો બાધ કરતી નથી. પ્રબળ ધર્મશક્તિના કારણે અહીં ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થતો જાય છે. એ વખતે તેવા પ્રકારની ભોગપ્રવૃત્તિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy