SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલપરાવર્તકાળને ચરમાવર્તકાળ કહેવાય છે. બાકીના બધા કાળને અચરમાવર્તકાળ કહેવાય છે. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલો કાળ એક પુદ્ગલપરાવર્તમાં સમાય છે. આવા અનંત પુલપરાવર્તોનો અચરમાવર્તકાળ છે. એ કાળ દરમ્યાન જીવની ગમે તેટલી લઘુકર્મિતા હોય તો પણ આ ત્રણ અનુષ્ઠાનોને છોડીને બીજા કોઇ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. એવા સદનુષ્ઠાનને પ્રાપ્ત કરવાની યોગ્યતા માત્ર ચરમાવર્તકાળમાં હોય છે. ચરમાવર્તકાળને પામ્યા પછી પ્રાપ્ત થયેલી યોગ્યતાવિશેષને આશ્રયીને પ્રાપ્ત થનારાં સદનુષ્ઠાનોમાં તહેતુ-અનુષ્ઠાન તેને કહેવાય છે કે-જે અનુષ્ઠાન, સદનુષ્ઠાનના રાગ-બહુમાનવિશેષથી થાય છે. પ્રારંભિક ધાર્મિક અવસ્થામાં થનારું આ અનુષ્ઠાન, દેવપૂજાદિ આચારના પરિણામવાળા આત્માને; મુતિ પ્રત્યેના દ્વેષના અભાવના કારણે અથવા તો મુકૃતિ પ્રત્યેના સહેજ રાગના કારણે જે શુભભાવ જન્મે છે તેના કારણે અમૃત-અનુષ્ઠાનનું ચોક્કસ કારણ બને છે. અમૃત અનુષ્ઠાનની જ્યાં સુધી આપણને પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સાધક આત્માને આ તહેંતુ-અનુષ્ઠાનને અભ્યસ્ત બનાવવું પડે છે. તહેતુ-અનુષ્ઠાનમાં વર્ણવેલ સદનુષ્ઠાનનું બહુમાન મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ, મુક્તિ પ્રત્યેનો અલ્પ પણ રાગ અને અલ્પ એવો શુભભાવ.. આ બધાનો વિચાર કરીએ તો સમજાશે કે તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત કરવાનું કેટલું કપરું છે ! પુણ્યના ઉદયથી ગમે તેવા સુખમય દેખાતા સંસાર ઉપરથી નજર ખસે અને પાપના ઉદયથી ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy