SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનકાળમાં આ અવસ્થા સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. એનાથી ચઢિયાતી અવસ્થા આ કાળમાં આ ક્ષેત્રમાં કોઇ નથી. એને પામવાનું સદ્ભાગ્ય જેને મળ્યું છે તેમનાં દર્શન,વંદન અને પાવન સહવાસથી આપણા આત્માને પવિત્ર કરવામાં જ આપણું કલ્યાણ છે. સાતમા ગુણસ્થાનકે શાસ્ત્રયોગની પરિસીમરૂપે ખૂબ જ ઉત્કટકોટિની સાધનાને કરનારા પરમયોગીઓને આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. મોહનીચકર્મનો સર્વથા ક્ષય કરી વીતરાગભાવને પ્રાપ્ત કરવાના સામર્થ્યરૂપે આ આઠમું ગુણસ્થાનક જીવને પહેલીવાર કે છેલ્લીવાર જ મળે છે. મોહનીયકર્મને ઉપશમાવી એક અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ માટે વીતરાગભાવને પ્રાપ્ત કરવાના સામર્થ્યરૂપે આઠમું ગુણસ્થાનક વધારેમાં વધારે ચાર વાર જીવને પ્રાપ્ત થાય છે. આ બે અવસ્થાવિશેષને વર્ણવવા માટે આપણે ત્યાં અનુક્રમે ક્ષપશ્રેણી અને ઉપશમશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મોહનીયકર્મનો સર્વથા નાશ કરનારી ક્ષપશ્રેણીની પ્રાપ્તિ એક જ વાર થાય છે અને મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરનારી ઉપશમશ્રેણીની પ્રાપ્તિ ચાર વાર પણ થઇ શકે છે. પાંચ વાર થાય જ નહીં. આ બંન્ને શ્રેણીના પ્રારંભની અવસ્થા એ આઠમું અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક છે. ત્યારબાદ શ્રેણીના પ્રારંભ પછી સંજ્વલનના ક્રોધ માન માયાનો સર્વથા ક્ષય અથવા ઉપશમ નવમા ગુણસ્થાનકે થાય છે. અર્થાત્ નવમા ગુણસ્થાનકે તેનો અનુભવ હોય છે પરંતુ તેથી આગળના ગુણસ્થાનકે તેનો અનુભવ હોતો નથી. અનિવૃત્તિ નામના નવમા Jain Education International ૫૭ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy