SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રમણીય હોય તો ‘હું મોક્ષે જઇશ’-આ અધ્યવસાય પણ એટલો જ સુખદ છે. એ અધ્યવસાય યોગની સાધનાનો સ્થાયીભાવ છે, જે સાધકની સાધનાને આનન્દિત બનાવે છે. ગુણસમ્પન્ન પ્રથમ ગુણસ્થાનકના પુરુષાર્થના ફળરૂપે જીવને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનની આરાધનાના મુખ્ય અંગ સ્વરૂપ શ્રી સમ્યગ્દર્શનની અને તેના યોગે શ્રી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ આ ગુણસ્થાનકે થાય છે. આ ગુણસ્થાનકનો માત્ર અન્તર્મુહૂર્તકાળપ્રમાણ સ્પર્શ; જીવને અર્ધપુદ્ગલપરાવર્ત્તકાળથી વધારે કાળ સંસારમાં રહેવાનું નથીએનો નિર્ણાયક છે. શ્રીસમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાના કારણે શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થવા છતાં આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન ક્રોધાદિ ચાર કષાયના કારણે વિરતિ(પાપથી વિરામ પામવાનો આત્માનો પરિણામ)નો સહેજ પણ પરિણામ પ્રાપ્ત થતો નથી. તેથી આ ગુણસ્થાનકને અવિરત-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. મિથ્યાત્વ વગેરે ત્રણ ગુણસ્થાનકે અવિરતિ છે પણ સમ્યગ્દર્શન નથી. જ્યારે પાંચમા ગુણસ્થાનથી માંડીને આગળના ગુણસ્થાનકે સર્વત્ર સમ્યગ્દર્શન છે પણ અવિરતિ નથી. અવિરતિ સાથે સમ્યગ્દર્શન માત્ર આ ચોથા ગુણઠાણે હોય છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ત્રણને દર્શનમોહનીયર્મ કહેવાય છે. આની સાથે અનન્તાનુબંધી ક્રોધાદિ ચાર કષાયમોહનીયને ગણીએ તો ફુલ સાત કર્મને શાસ્ત્રીયપરિભાષામાં દર્શનસપ્તક કહેવાય છે. આ સાત Jain Education International ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy