SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તે વિશુદ્ધ આત્માની અવસ્થાને ગુણસ્થાનક કહેવાય છે. આત્માની એવી અવસ્થાઓ આમ જોઈએ તો અસંખ્યાત છે. પરંતુ સામાન્યથી એ બધી અવસ્થાઓને જ્ઞાનીઓએ ચૌદ અવસ્થામાં સમાવીને ચૌદ ગુણસ્થાનકનું વર્ણન કર્યું છે. અનાદિકાળથી કર્મયુક્ત આત્માનું અસ્તિત્વ સૂક્ષ્મનિગોદમાં હતું. ચૌદરાજલોકપ્રમાણ આ ક્ષેત્રમાં સર્વત્ર અસખ્યાત સૂક્ષ્મનિગોદ છે. ત્યાં એક શરીરમાં અનંત જીવોની સાથે આપણે સૌએ અવ્યવહારરાશિમાં અનંતાનંત કાળનો અનુભવ ક્ય છે, આજે અનંતાનંત જીવો એનો અનુભવ કરી રહ્યા છે અને અનંતાનંત જીવો ભવિષ્યમાં પણ એવી જ સ્થિતિમાં રહેવાના છે. આવી સ્થિતિમાંથી કાલાદિની પરિપકવતાના કારણે આપણે સૌ બહાર નીકળી વ્યવહારરાશિમાં આવ્યા છીએ - એ ખરેખર જ આપણા સૌનું પરમ સદ્ભાગ્ય છે, એનો આપણને ખ્યાલ હોય કે ના હોય પણ એ માન્યા વિના ચાલે એવું નથી. આપણા પરિચયમાં આવનારા તે તે જીવોની અસમાન અવસ્થાનું મૂળ કારણ તે તે જીવોનો સ્વભાવ છે. એ સ્વભાવ વિના કર્માદિ કોઈ પણ કારણ; અવસ્થાની અસમાનતા માટે સમર્થ નથી. કાંટાની તીક્ષ્ણતા, અગ્નિનો ઉષ્ણસ્પર્શ અને પાણીનો શીતસ્પર્શ જેમ સ્વભાવથી છે, એમ જીવોનો પણ ભિન્ન ભિન્ન સ્વભાવ છે. આવા સ્વભાવને લઈને જ જે જીવોમાં શ્રી તીર્થંકર પરમાત્મા અથવા કેવલ શ્રી સિદ્ધપરમાત્મા બનવાની સહજ યોગ્યતા છે, એવા કેટલાક જીવો અવ્યવહારરાશિમાંથી-નિગોદમાંથી બહાર જ આવી શકતા નથી. જ્યારે નિગોદમાંથી બહાર આવનારા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy