SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે ધર્મક્રિયાઓ ખરેખર જ જંડ નથી. એને જડ બનાવવાનું કાર્ય આપણે ક્યું છે. એને ચેતનવંતી બનાવવા આપણામાં ચૈતન્યનો સંચાર થવો જોઈએ. સાવ જ જડતાપૂર્વક કરાતી આપણી ધર્મક્ષિાઓ કોઈ પણ રીતે યોગસ્વરૂપ નથી. કારણ કે એમાં સ્થાન નામના યોગનું સ્થાન નથી. શતિ અનુસાર કરાતા કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં સ્થાન જાળવવાનો જે પરિણામ છે તે વસ્તુતઃ પરમયોગીઓ પ્રત્યેનું બહુમાન છે. આપણને જેની પ્રત્યે બહુમાન હોય છે - તેની જેમ કરવાનું આપણને મન હોય છે. તેમ આપણે જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે, તે અનુષ્ઠાન આજ સુધી શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓએ જે રીતે કર્યું છે તેમ કરવાનું આપણને મન હોવું જોઈએ ને ? એ જ ન હોય તો શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓ પ્રત્યે આપણને બહુમાન નથી-એમ માનવું પડે ને ? નાના છોકરાઓ, પોતાની ખાવા-પીવા વગેરેની પ્રવૃત્તિ મોટાઓની પ્રવૃત્તિ જેવી કરવા માટે પ્રયત્નવાળા હોય છે. પણ આપણે આપણા ધર્માનુષ્ઠાનને યોગીઓના અનુષ્ઠાન જેવા બનાવવાનો પ્રયત્ન કરતા નથી – એ અનુષ્ઠાનના સ્થાન પ્રત્યેના આપણા અબહુમાનને જણાવે છે. અબહુમાન અનાદરભાવનું કારણ છે અને અનાદરજેવું દુનિયામાં એક પણ પાપ નથી. ઉસૂત્રભાષણનું પાપ પણ પરમયોગીજનોના અનાદરભાવથી જન્મે છે - એ ભૂલવા જેવું નથી. આ રીતે સકલશાસ્ત્રમાં પ્રસિદ્ધ સ્થાનાદિ પાંચમના સ્થાનયોગનું સ્વરૂપ સમજાવીને ઊર્ણ નામના બીજા યોગનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકાર ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy