SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ કહેવાય છે. પરંતુ સ્થાનાદિને વિશેષે કરીને યોગમાર્ગના જ્ઞાતાઓ યોગ કહે છે – તેનું આ ગ્રન્થમાં વર્ણન કરવામાં આવ્યું છે. મોક્ષસાધક એ સ્થાનાદિનું સ્વરૂપ વર્ણવતાં ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે – ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥२॥ સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ પ્રકારનો યોગ; તેના સ્વરૂપનું વર્ણન કરનારાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ષોડશકગ્રન્થમાં પણ આ પાંચ યોગોનું સ્વરૂપ વર્ણવ્યું છે. મોક્ષના કારણભૂત આ સ્થાનાદિ પાંચમાં યોગ પદનો વ્યવહાર મુખ્યપણે થાય છે. ચિત્તવૃત્તિનિરોધ: અર્થાત્ ચિત્તની અપ્રશસ્તવૃત્તિના વિરોધને યોગ માનનારાના મતે આ સ્થાનાદિ, યોગનાં અંગ હોવાથી તેમાં થોડા પદનો વ્યવહાર ઉપચારથી (ગૌણપણે) થાય છે. જેના વડે મોક્ષમાર્ગમાં સ્થિર થવાય છે - એવા આસનવિશેષને સ્થાન કહેવાય છે, જે; પવાસન, પદ્યકાસન, કાયોત્સર્ગ આદિ અનેક પ્રકારનું છે. યોગમાર્ગના સાધકોને તે તે અનુષ્ઠાનો કરતી વખતે તે તે અનુષ્ઠાન માટે જણાવાયેલાં તે તે આસન જાળવવાનું ખૂબ જ જરૂરી છે. જીવનની કોઈ પણ પ્રવૃત્તિ વખતે કેમ બેસવું, કેમ ઊઠવું, કેમ ઊભા રહેવું અને કેમ ચાલવું વગેરેનું ચોક્કસ ધોરણ છે. ખાવા પીવા લખવા ઊંઘવા વગેરેનાં પણ ચોક્કસ સ્થાન છે. શરીરાદિની પ્રતિકૂળતાને લઈને તે તે પ્રવૃત્તિ કોઈ કોઈ વાર જેમ-તેમ કરવી પડે છે. ત્યારે તે ૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy