SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એ લગભગ અશક્ય છે. કારણ કે આજે તો આવી વાત પણ ઘણા લોકોને ગમતી નથી. એમને મન તો બધા જ સદ્ગ(?) છે. ઘરમાં કે દુકાનમાં પણ બધાને સરખા ન માનનારા અહીં બધાને સરખા માને છે - એ દિગ્યો છે કે બીજું કાંઈ ? પાંચ મહાવ્રતધારી બધા ગુરુ-એમ બોલવાથી બધા સરુ થઈ જાય ? પાંચ મહાવ્રત એટલે શું – એ પણ તેઓ જાણતા નથી. પાંચ મહાવ્રતો કપડામાં હોય કે ગુણઠાણામાં હોય ? પહેલા ચોથા કે પાંચમાં ગુણઠાણે કેટલાં મહાવ્રતો હોય ? તમને આ બધું સમજાય છે કે નહીં ? રત્નને સાચવવા કપડાં જોઈએ. એમાં ગાંઠ વાળીને ચિંતામણિરત્ન સચવાતું. કપડાથી રત્નો મળી જાય ? મળે તો અભવ્યોને, દુર્ભવ્યોને કેટલાં મહાવ્રત હોય ? તમને બુદ્ધિ મળી છે ને ? તો વિચારો કે આપણને દિગુભ્રમ કેમ થયો છે જે આપણને બુદ્ધિની સાથે પુણ્ય પણ મળ્યું છે. આવા કપરા કાળમાં પણ દિમોહને દૂર કરનારા પરમતારક શાસ્ત્ર અને તેના સમર્થજ્ઞાતાઓની આપણને પ્રાપ્તિ થઈ છે. એના સદુપયોગથી પ્રાયઃ દિમોહ નહીં થાય. કદાચ થશે તો તેને સારી રીતે જીતી શકાશે. આ રીતે ત્રણ પ્રકારનાં વિદ્ગોને જીત્યા પછી મુમુક્ષુ આત્માઓ સિદ્ધિની સમીપે પહોંચે છે. આથી તમો સમજી શકશો કે ઉત્કૃષ્ટ વિનય વિના હીન અને મધ્યમ વિજય નિરર્થક બની જાય છે. ઉત્કૃષ્ટવિધ્વજયથી જ ખરેખર એની સાર્થકતા છે. એથી પણ આગળ વિચારશો તો સમજાશે કે ઉત્કૃષ્ટ વિદ્ધના વિજેતા સાધકને; હીન અને મધ્યમ વિપ્નો સાધનામાં વિઘ્ન કરવા સમર્થ બની શકતાં નથી. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy