SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ હિતકારી જાણવું જોઈએ. તેમ જ તેવા જીવો માટે જ આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સદનુષ્ઠાન બનતું હોવાથી હિતકારી છે – આ પ્રમાણે સત્તરમી ગાથાનો અક્ષરાર્થ છે. ચૈત્યવંદનસંબંધી સ્થાનાદિ; યોગ હોવાથી તે મોક્ષનાં કારણ છે - એ સ્પષ્ટ છે અને ચૈત્યવંદનસંબંધી સ્થાનાદિ યોગનું કારણ હોવાથી ચૈત્યવંદન પણ મોક્ષનું પ્રયોજક છે. અર્થા સ્થાન ઊર્ણ.. વગેરે યોગ દ્વારા જ ચૈત્યવંદન મોક્ષનું કારણ છે. તેથી સ્થાનાદિયોગને વિશે પ્રયત્ન કરનારાઓનું જ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કલ્યાણકારી છે. આ રીતે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને મોક્ષની પ્રત્યે પ્રયોજક માનીને (સાક્ષા કારણ માન્યા વિના) તેની કલ્યાણકારિતા વર્ણવી છે. જુદી રીતે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને સાક્ષા (કોઇની દ્વારા નહિ) મોક્ષની પ્રત્યે કારણ માનીને તેની કલ્યાણકારિતા જણાવવા માટે ગાથામાં ભુપત્તળ તે આ ચોથું પદ છે. તેનો આશય એ છે કેચૈત્યવંદન, સદનુષ્ઠાન હોવાથી તે સાક્ષાદ્ મોક્ષનું સાધન છે. યોગના પરિણામના કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે વિશુદ્ધચિત્તસંસ્કાર સ્વરૂપ જે પ્રશાન્તવાહિતા છે તે નિર્મળ સદાશયથી સહિત ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સાક્ષાત્ મોક્ષનું સાધક બને છે. આ રીતે પરંપરાએ અથવા સાક્ષા મોક્ષની સાધકતાનું વર્ણન નથવિશેષને આશ્રયીને કર્યું છે. અહીં યાદ રાખવું જોઈએ કે વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ નિરાશસભાવે કરાતા કોઈ પણ અનુષ્ઠાનથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. તેના ઉદ્દે ઉત્તરોત્તર વિશુદ્ધચિત્તના સંસ્કાર સ્વરૂપ પ્રશાન્તવાહિતા(ક્રોધાદિ પરિણતિને આધીન ન થવું તે) ૧૦૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy