SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ એક ડગલું નથી ભરવું અને શાસ્ત્ર જોયા વગર એક શબ્દ નથી ઉચ્ચારવો. શાસ્ત્રની મર્યાદામાં રહ્યા વિના આ સંસારમાંથી મુક્ત નહિ થવાય. આજે, શાસ્ત્રની તો વાત જવા દો, સમુદાયની કે ગુરુની મર્યાદા પાળવા પણ જે તૈયાર ન થતા હોય તેવાને માર્ગનો ખપ જ નથી – એમ માનવું રહ્યું. પહેલાના કાળમાં આગમો કંઠારૂઢ હતાં, હવે શાસ્ત્રારૂઢ થયેલાં છે. એ કાળમાં બે-ત્રણ વાર ભયંકર દુકાળ પડ્યા. પેટ પાતાળે જાય, તાળવું સુકાવા માડે એવા દુષ્કાળના કાળમાં પણ માર્ગના પ્રેમી એવા આચાર્યભગવન્તોએ રસોડાં ખોલવાનો વિચાર ન ર્યો, પરંતુ સ્મૃતિભ્રંશના યોગે નાશ પામવાની તૈયારીમાં રહેલાં આગમોને શાસ્ત્રારૂઢ કરવાનો પ્રયત્ન કર્યો અને સૂત્રરક્ષા કરી. યાદ રાખવાનું શક્ય ન હતું માટે સૂત્રો શાસ્ત્રારૂઢ કર્યા, યાદ રાખવાનું મન ન હતું, ગમતું ન હતું માટે નહિ. પરા કાળમાં મહાપુરુષોએ પોતાના પ્રાણોની પરવા ક્ય વિના જીવની જેમ જતન કરી જે શાસ્ત્રસિધાન્તોની રક્ષા કરી; એને અભરાઈ ઉપર ચઢાવી, પોતાની માન્યતાને સિદ્ધાંતના નામે રજૂ કરનારા પોતાની આત્મરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. શાસ્ત્રના સિદ્ધાન્ત માનવા ન પડે માટે તેને સામાચારી કહીને પોતાની વાતની સિદ્ધિ કરવી એ કૂટનીતિ છે. સવ સામાચારી અને સિધાન્તમાં શું ભેદ છે ? જે આચરણા ચતુર્વિધ સંઘને સ્પર્શતી હોય તેને સિદ્ધાન્ત કહેવાય અને જે અમુક ગચ્છ કે અમુક સમુદાયપૂરતી મર્યાદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy