SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ nal અને પૂર્વધર પુરુષોએ સૂત્રોની રચના સાધુસાધ્વી માટે કરી હતી અને એ સૂત્રોની ઉપેક્ષા જો સાધુસાધ્વી જ કરે તો તે કેવી રીતે નભાવાય ? આજે તો બધાં સાધુસાધ્વીને નિયમ આપવા જેવો છે કે રોજ દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય કર્યા વિના મકાનની બહાર ગોચરી-પાણી માટે પગ ન મૂકવો. માત્ર સાત સો ગાથાનું સૂત્ર છે. સાડા ત્રણ સો ગાથાનું પપ્નીસૂત્ર જો બાર કે પંદર મિનિટમાં બોલી શકાતું હોય તો આ સૂત્ર કેટલી વારમાં બોલાય ? પપ્નીસૂત્ર તો પંદર દિવસે પણ એક વાર ફરજિયાત બોલવામાં આવે છે. દશવૈકાલિકનો સ્વાધ્યાય તો જિંદગી સુધી ક્યારે ય ફરજિયાત નથી ને ? જે સૂત્ર ભગવાનના શાસનમાં છેલ્લે સુધી રહેવાનું છે તે સૂત્રની ઉપેક્ષા ક્યું કેમ ચાલશે ? આજનો દિવસ સારો છે. મારે તો વિચાર છે કે દરેક સાધુસાધ્વીને નિયમ આપું કે દશવૈકાલિકસૂત્ર બોલ્યા વગર મોઢામાં પાણી ન નાંખવું. ગૃહસ્થોને પણ શ્રી દશવૈકાલિકસૂત્રના ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી કંઠસ્થ કરવાનો અધિકાર છે. પિસ્તાળીસ આગમોમાંથી આ એક જ આગમ એવું છે કે જેના ચાર અધ્યયનનો અધિકાર તમને પણ છે. આવો અધિકાર પામીને તમે તમારી જાતને પરમભાગ્યશાળી માનો છો ને ? સ) એ સૂત્રમાં એવું તો શું છે ? શ્રી શય્યભવસૂરિજીએ શ્રી મનમુનિ માટે માત્ર છ મહિનાના તેમના આયુષ્યમાં તેમની આરાધના પૂરી થાય એ રીતે પૂર્વમાંથી ઉધૂત કરી એ સૂત્ર બનાવ્યું છે, તો એમાં શું બાકી રાખ્યું હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy