________________
८८
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
સામૈયું સજી સહુ વંદે, નિજવાણી સુણી આણં; સસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે. મન૦ ૧૨ સંઘ સાથે ગણિપદ ધરતા, સુર જ્ઞાનમહોત્સવ કરતા; સ્વામી દેવછંદે સોહાવે, શુભવીર વચનરસ ગાવે રે. મન૦ ૧૩
કાવ્ય તથા મંત્ર
ભોગી યદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્થઃ ૧. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા.
નિર્વાણકલ્યાણકે આઠમી નૈવેદ્યપૂજા દુહા
શુભ આદે દશ ગણધરા, સાધુ સોળ હજાર; અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર. ૧
સામૈયું સજી પ્રભુ પાસે આવી સર્વેએ પ્રભુને વંદન કર્યું. અને આનંદપૂર્વક પ્રભુની વાણી સાંભળી. સસરો (અશ્વસેનરાજા), સાસુ (વામામાતા) અને વહુ (પ્રભાવતી) એ ત્રણેએ પ્રભુની પાસે દીક્ષા લીધી.
પાર્શ્વનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘ અને ગણધરોની સ્થાપના કરી, દેવોએ કેવળજ્ઞાન અંગેનો મહોત્સવ કર્યો. જ્યારે પ્રભુ દેવછંદામાં બિરાજ્યા, ત્યારે તેમના મુખ્ય ગણધર શુભ ગણધરે પ્રભુના વચનરસનું ગાન કર્યું. દેશના આપી. ૧૩.
દુહાનો અર્થ- હવે પાર્શ્વનાથ પ્રભુનો પરિવાર બતાવે છે. શુભ આદિ દશ ગણધરો, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર
Jain Education International
For Private & Personal Use Only
4
www.jainelibrary.org