SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ અંતરાય કર્મ નિવારણ પૂજા આગમવયણે જાણીએ, કર્મ તણી ગતિ ખોટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાયથિતિ મોટી રે. પ્ર૦ ૨. ધ્રુવબંધી ઉદયી તથા, એ પાંચે ધૃવસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયત્તા રે. પ્ર૦ ૩. સંપરાય બંધે કહી, સત્તા ઉદયે થાકી રે; ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર૦ ૪. જ્ઞાન મહોદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશી રે. ૫. કીરયુગલશું દુર્ગા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે.૦ ૬. આગમના વચનોથી જાણીએ કે કર્મોની ગતિ ઘણી ખોટી છે. અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે. ૨ અંતરાયકર્મની પાંચેય પ્રકૃતિ ધ્રુવબંધી છે, ધ્રુવોદયી છે, તેમજ ધ્રુવસત્તાક છે દેશઘાતી છે અને અપરાવર્તમાન છે. ૩ એનો બંધ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી છે. સત્તા અને ઉદયમાં બારમાં ગુણસ્થાનક સુધી છે. બારમા ગુણઠાણાના અંતે તે જાય છે. અને તે જીવવિપાકી છે. ૪ હે પ્રભુ ! તે કર્મનો ક્ષય કરી, તમે જ્ઞાનમહોદય-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આત્માની અનંત ઋદ્ધિના ભોક્તા થયા છો. અમે . પણ તે ફળની આશા રાખીએ છીએ. ફળપૂજાના ફળરૂપે અમને પણ તે ફળ આપો. ૫ કીરયુલગ-પોપટનું જોડલું અને દુર્ગતા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખીશું નહિ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy