________________
નવપદજીની પૂજા
૧૯૧
૧૯
ઉલાલો નિઃકામ નિર્મળ શુદ્ધચિહ્વન, સાધ્ય નિજ નિરધારથી, નિજ જ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિજીવબોધક તત્ત્વશોધક, સયલ ગુણ સંપત્તિધરા, સંવર સમાધિ ગતઉપાધિ, દુવિધ તપગુણ આગરા. ૨
પૂજા ઢાળ (શ્રીપાલના રાસની દેશી) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચો; તે આચારજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચો રે.
ભવિકા ! સિ. ૧. વર છત્રીશ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે.
ભવિકા ! સિ૦ ૨. ઉલાળાની ઢાળનો અર્થ - આચાર્ય ભગવાન મુનિઓના સ્વામી છે, ગણના સ્વામી છે, છત્રીસ ગુણોનું સ્થાન છે, જ્ઞાનાનંદરૂપ રસનો સ્વાદ લે છે અને પૌગલિક ભાવોમાં ઇચ્છા રહિત છે. ૧.
પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ સાધનોને જોડવાથી નિષ્કામ, નિર્મળ અને શુદ્ધ કેવળજ્ઞાનરૂપ સાધ્ય સિદ્ધ થવાનો જેમને નિર્ધાર (નિશ્ચય) થયેલ છે, ભવ્ય જીવોને જે બોધ પમાડે છે, તત્ત્વોનું શોધન કરે છે, સમસ્ત ગુણોરૂપ સંપત્તિને ધારણ કરનારા છે, સંવર ને સમાધિવાળા છે તેમજ ઉપાધિથી રહિત છે અને બે પ્રકારના તપરૂપ ગુણોની ખાણરૂપ છે. ૨
પૂજાની ઢાળનો અર્થ - જે સારી રીતે પંચાચારનું પાલન કરે છે, સત્ય માર્ગનો ઉપદેશ કરે છે તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરો અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને પ્રેમપૂર્વક યાચના કરો. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org