SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત શ્રી નવપદજીની પૂજાવિધિ આ પૂજામાં નવપદની નવપૂજાઓ છે. તેથી ઉત્તમફળો, નૈવેદ્ય, અને જુદાં જુદાં ધાન્ય નવ-નવ લાવવાં. પંચામૃત-કેસરપુષ્પ-અક્ષત-ધૂપ-દીપ આદિ વસ્તુઓ શક્ય હોય તો નવ-નવ લાવવી. અને જો શક્ય ન જ હોય તો એકેક લાવવી. કળશ પણ નવ લાવવા. નાડાછડી, રકાબીઓ વગેરે પૂર્વની જેમ સમજવું. દરેક પૂજા વખતે અષ્ટપ્રકારી પૂજાના આઠે દ્રવ્યો લઈને ઉભા રહેવું. અને પૂજા ભણાઈ રહે, તથા થાળી વાગે ત્યારે પ્રભુને જળાભિષેક, બંગલુછણાંથી અંગ લુંછવાનું, કેસરપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા-દીપકપૂજા- આદિ કરવાં. નવે પદોના જે જે વર્ષો છે. તે તે વર્ણવાળું ધાન્ય તે તે વખતે સાથે લેવું. જેમ કે અરિહંત પદની પૂજા વખતે અક્ષત, સિધ્ધપદની પૂજા વખતે ઘઉં, આચાર્યપદની પૂજા વખતે ચણા, ઉપાધ્યાયપદની પૂજા વખતે મગ, સાધુપદની પૂજા વખતે અડદ, અને દર્શનાદિ ચારે પદોની પૂજા વખતે અક્ષત દ્રવ્ય લેવું. પ્રથમ સ્નાત્ર ભણાવીને આ પૂજા ચાલુ કરવી. જલાભિષેક કરતી વખતે 3ૐ હૌં નમો અરિહંતાણ, ૐ હીં નમો સિધ્ધાણં, ૐ હીં નમો આયરિયાણં, એ જ રીતે ઉવજઝાયાણ, વિગેરે પદોનો પાઠ કહેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy