SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી પૂજા સંગ્રહ સાથે એંશી ભાંગે દેશથકી જે પોસહ રે, એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઈને જયણામંગળ બોલી રે, ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળ૦ ૩. સર્વથકી આઠ પહોરનો ચૌવિહાર રે, સંથારો નિશિ રે કંબળ ડાભનો; પાંચે પર્વ ગૌતમ ગણધર બોલ્યા રે, પૂરવ આંક ત્રીશગુણો રે લાભનો. શીતળ૦ ૪. ચાર પ્રકાર (આહાર પોસહ, શરીરસત્કાર પોસહ, અવ્યાપાર પોસહ અને બ્રહ્મચર્ય પોસહ)ના પોસહના સંયોગી ભાંગા એંશી થાય છે. તેમાં આહાર પોસહ જ દેશથી થઈ શકે છે. એથી પોસહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણામંગળ શબ્દ બોલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩ ચારે પ્રકારનો સર્વ થકી પોસહ કરનારને આઠે પ્રહરનો (સામાન્યથી ત્રણ કલાકનો એક પ્રહર) ચૌવિહાર હોય છે. અને રાત્રે ડાભ કે કામળના સંથારા પર સૂઈ રહે છે. શ્રી ગૌતમસ્વામીએ પાંચે પર્વીએ પોસહ કરવો એમ કહ્યું છે. તે આઠ પહોરના પોસહથી સામાયિક વ્રતની પૂજામાં કહેલ લાભથી ત્રીશ ગણો લાભ થાય છે. એટલે ૨૭૭૭૭૭૭૭૭૭૮ ૧૩ પલ્યોપમનું દેવાયુ બંધાય છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy