SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાવિધિ ( ૭ વિધિશુદ્ધ-પૂજા કરવાની જે જે વિધિ છે તેમાં કેઈ અવિધિ ન થાય તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. પૂજા કરનારે પિતાના કપાળમાં તિલક કરી પછી બીજી વખતની નિસાહિ કહી દ્રવ્ય પૂજામાં જોડાવવું. અષ્ટ પ્રકારી પૂજા એટલે આઠ પ્રકારેથી જિનેશ્વરદેવની પૂજા કરવી તે. તેમાં પહેલી ત્રણ પૂજા, જલપૂજા, ચંદનપૂજા ને પુ૫પૂજા, પ્રભુના અંગને સ્પર્શ કરીને કરવાની હોય છે. માટે તેને અંગપૂજા કહેવાય છે. બાકીની ધૂપપૂજા, દીપપૂજા, અક્ષત પૂજા, નવઘ પૂજા અને ફલપૂજા, આ પાંચ પ્રભુની સન્મુખ રહીને કરવાની હોવાથી તે અગ્રપૂજા કહેવાય છે. [જેના શરીરમાંથી રસ ઝરતી હોય તેણે અંગપૂજા ન કરતાં પિતાનાં લાવેલાં ક બીજાને આપી તેની પાસે પૂજા કરાવવી, પિતે અગ્રપૂજા તથા ભાવપૂજા કરવી.] અષ્ટ પ્રકારી પૂજા ૧ જલપૂજા-પ્રથમ પંચામૃતથી [ દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગાં કરીને ] શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓને ન્ડવણ કરી, વાલાફેંચી કરી પછી ચેખા પાણીથી ન્હવણ કરવું પછી ત્રણ અંગલુહણાં પિતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં. દહે-જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હશે, માગે એમ પ્રભુ પાસ. જ્ઞાન–કલશ ભરી આતમા, સમતાસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર (૧) પૂજા કરનાર પ્રક્ષાલનનું પાણી લેતાં નીચે ન ઢળે તેનો ખાસ ઉપયોગ રાખે કારણ કે પાણી ઢોળાવવાથી જીવ વિરાધના અને લપસવાનો સંભવ છે. (૨) પૂજા કરનારે ભગવાને વાળાકુંચી કરતા ખૂબ જ ધ્યાન રાખવું. પ્રભુની પ્રતિમા પર ઘસારો ન લાગે, અને અવાજ ન થાય તે રીતે કરવી. (૩) કેશરપૂજા કરતાં ભગવાનના શરીર પર રેલા ન ઉતરે તેને ઉપયોગ રાખવો જરૂરી છે. પૂજા કરતાં ભગવાનની ડાબી-જમણી બાજુએ ઊભા રહી પૂજા કરવો જેથી બીજાને દર્શનમાં અંતરાય ન પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy