SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિધિસંગ્રહ. શ્રી અષ્ટપ્રકારી પૂજાવિધિ જિન પૂજામાં સાચવવાની સાત શુદ્ધિઓ શ્રાવકે રેજ શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે પૂજા કરવી જોઈએ. અંગ–૧ વસન–૨ મન–૩ ભૂમિકા-૪ પૂજે પકરણ સાર-૫ ન્યાય દ્રવ્ય- વિધિ શુદ્ધતા-૭ શુદ્ધિ સાત પ્રકાર ૧ શરીરશુદ્ધિ-શરીર બરાબર શુદ્ધ થઈ શકે તેટલા માપસર જળથી સ્નાન કરી રૂમાલથી લુછવું. ૨ વસંશુદ્ધિ– પૂજા માટે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર રાખવા જોઈએ. પૂજા માટેનાં વસ્ત્રો મુખ્યતાએ સફેદ જોઈએ. ફાટ્યા વગરનાં, બળ્યા વગરનાં અને સાંધા વિનાનાં જોઈએ તે વસ્ત્રો બીજા કામમાં ન લેવા. ૩ મનશુદ્ધિ– જેમ બને તેમ બીજા બધા વિચારે ભૂલી જઈને મનને પૂજામાં સ્થિર કરવું. ૪ ભૂમિશુધ્ધિ- દેરાસરમાં બરોબર કાજે (કચરો) લીધે છે કે નહિ, તે જેવું તથા પૂજાના સાધને લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. ૫ ઉપકરણશુધ્ધિ- પૂજામાં જોઈતાં દ્રવ્ય, કેશર, સુખડ, બરાસ, પુછપ–ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઊંચી જાતનાં વાપરવાં, અને બને તેટલાં ઘરનાં જ વાપરવા. કળશ ધૂપ-ધાણા, આરતિ, મંગલદી, અંગભૂંછણ વગેરે એકદમ સ્વચ્છ ને ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આલ્હાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ થવાની. ૬ વ્યશુધ્ધિ- જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય તે ભાવની વૃદ્ધિ થવાથી સેનામાં સુગંધ જેવું થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy