SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ (ખાસ નોંધ : આ વિભાગની ચર્ચાઓ નંદવાઈ ન જાય તે માટે આ ગ્રંથશ્રેણીના ગ્રંથ “અમૃત-સમીપે'માંના જૈન આચાર્યો અને જૈન મુનિવરો' વિભાગો અવલોકવા. – સં.) (૧) શ્રમણધર્મનું મુખ્ય કાર્ય જૈનધર્મો ધર્મ કોને કહેવો? એનો સાવ સહેલો અને તરત મનમાં વસી જાય એવો જવાબ આપ્યો છે. અહિંસા, સંયમ અને તેપ એ ધર્મ છે – ધર્મનો માર્ગ છે. એટલે જીવનમાં એ ત્રણની સાધના થતી હોય, તો ધર્મનું પાલન કર્યું ગણાય. આટલા ખુલાસા પછી એક વધુ પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે અહિંસા, સંયમ અને તપનું પાલન કર્યાનું પરિણામ શું? અંતરમાં પ્રેમ, કરુણા અને અવૈર-અદ્વેષની લાગણીનો પ્રાદુર્ભાવ, ભોગ-વિલાસની વૃત્તિનું અને વાસનાનું શમન કે નિરાકરણ અને કષાયોનો ઉચ્છેદ એ તેનું પરિણામ લેખી શકાય. ધર્મને અનુલક્ષીને આ લખવાનું એટલા માટે અમને જરૂરી લાગ્યું છે કે આજકાલ ધાર્મિક પ્રવૃત્તિને નામે જે મોટામોટા આડંબરો, વિધિવિધાનો અને જંગી ખર્ચાઓ કરવામાં આવે છે, તેમાં ધર્મનું સાચું તત્ત્વ કેટલું છે એનો વિચાર કરવાની જરૂર છે. નહીં તો છેવટે પરિણામ પાણીને વલોવવા જેમ શૂન્ય આવે. આપણે ત્યાં દિવસોના દિવસો સુધી, હજારો-લાખો રૂપિયાના જંગી ખર્ચા કરીને, ભારે મોટા ઉત્સવ-મહોત્સવો કરવામાં આવે છે. અને આમ જનતાનું ધ્યાન આપણા સંઘની સંપત્તિ તરફ દોરાય એવી વિવિધ યોજનાઓ કરવામાં આવે છે. આ બધું કર્યા છતાં આપણે ધર્મના મૂળભૂત હેતુનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ. એક બાજુ જ્યારે સમાજમાં આવી સ્થિતિ પ્રવર્તે છે, ત્યારે બીજી બાજુ માનવસમાજને સુવ્યવસ્થિત અને સુખી કરવાને માટે જીવનશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતાની પ્રતિષ્ઠા કરવાની જેટલી જરૂર અત્યારે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy