SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ( જિનમાર્ગનું અનુશીલન રહેલ આચાર્ય શ્રી શિવસાગરજી મહારાજની પાસે, એમના સંઘમાં પહોંચી ગયા, અને ત્યાં તેઓ પોતાની અંતિમ ઉગ્ર આરાધનામાં પણ ચિત્તની સમાધિ સચવાઈ રહે એ રીતે ક્રમેક્રમે યોજનાપૂર્વક આગળ વધ્યા. એમણે અષાડ સુદિ આઠમે અન્નનો ત્યાગ કર્યો, અષાડ સુદી પૂનમે દૂધનો ત્યાગ કર્યો, ભાદરવા વદિ (ગુજરાતી શ્રાવણ વદિ તેરશે છાસનો ત્યાગ કર્યો, ભાદરવા સુદ સાતમે પાણીનો પણ ત્યાગ કર્યો અને એક અઠવાડિયા સુધી નિર્જલ ઉપવાસની અતિઉગ્ર તપસ્યા કરીને ભાદરવા સુદિ અગિયારશે (ગદ્ગુરુ હીરવિજયસૂરિના સ્વર્ગવાસ દિને જ) તા. ૧૪-૯-૧૯૬૭ના રોજ, પોતાની પ્રતિજ્ઞાને સફળ બનાવીને પદ્માસને બેઠાં બેઠાં નવકારમંત્રનો જાપ જપતાં જપતાં, એમણે સમાધિપૂર્વક પોતાનું જીવન સંકેલી લીધું, કેવી યોજનાપૂર્વકની ઉત્તમ આત્મસાધના ! (તા. ૨૫-૧૧-૧૯૬૭) કાકા કાલેલકરનો પ્રશંસાભાવ તા. ૪-૭-૧૯૫૬ના રોજ તેરાપંથી મુનિશ્રી નગરાજ અને કાકા કાલેલકરની વચ્ચે દિલ્હીમાં એક મુલાકાત થઈ હતી. તે વખતે અનેક બાબતોનો વિચાર-વિનિમય થયો હતો. આમાં શ્રી કાકાસાહેબે મારણાંતિક સંલેખના અંગે જે વિચારો વ્યક્ત કર્યા તે જેનભારતી'ના તા. ૨૨-૭-૧૯૫૬માંથી અહીં ઉદ્ધત કરીએ છીએ : જ્યારે શરીર કામ ન આપે તો મારણાંતિક તપ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ. એ મૃત્યુને કેવું મૃત્યુ સમજવું કે જેમાં કૂતરાને મોતે મરવાનું હોય – માનવી જીવવા ઇચ્છે, એ હાય દવા હાય દવા' કરતો રહે અને મોત એને ઝડપવાને માટે તાકી રહે ? ખરી રીતે વિરમૃત્યુ એ છે કે જેમાં મોત આવતાં પહેલાં જ એને પડકાર કરવામાં આવે ! જે વ્યક્તિને કુટુંબનો વધારો કરવાનો હક્ક છે, એને કુટુંબથી છૂટા થવાનો પણ હક્ક છે. એ જ રીતે માનવીને શરીરની વૃદ્ધિ કરવાનો પણ હક્ક છે, તો એને શરીરનો વિલય કરવાનો પણ હક્ક છે. તેથી મારણાંતિક સંખનાને હું એક આદર્શ માનું છું.” મારણાંતિક સંલેખના પ્રત્યે પોતાનો આવો પ્રશંસાભાવ દર્શાવતાં પણ કાકાસાહેબે એક મુદ્દાની વાત કહી છે તે ધ્યાનમાં લેવા જેવી છે. આવું વ્રત ક્યારે લઈ શકાય એ અંગે કહેતાં એમણે શરૂઆતમાં જ કહ્યું છે : “જ્યારે શરીર કામ ન આપે તો મારણાંતિક તપ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ.” - આ કથનનું વિશ્લેષણ કરીએ તો એનો અર્થ એ થાય કે શરીર કામ આપે એમ હોય, ત્યાં લગી તેનો ત્યાગ કરવાનું તપ કરવાની જરૂર નથી, એટલે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy