SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨ ૫૫ અનુકૂળ લાગે એ માર્ગ અપનાવી શકે છે. કોઈ ભક્તિમાર્ગે પ્રભુપરાયણતાનો આનંદ મેળવવા પ્રયત્ન કરે છે, કોઈ જાતજાતની તપસ્યાઓનું અનુસરણ કરીને પોતાની કાયા ઉપર અને ઇન્દ્રિયોની ભોગલાલસા ઉપર કાબૂ મેળવીને અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે છે, કોઈ કીર્તિના મોહથી અલિપ્ત બનીને, દીન-દુઃખી માનવજાત અને અન્ય જીવસૃષ્ટિની સેવા કરવાનો માર્ગ અપનાવીને પોતાના અહંકાર, મારા-પરાયાપણા અને રાગ-દ્વેષને નાથવાનો પ્રયત્ન કરે છે, કોઈ અમૃતની ઉપમા પામેલ જ્ઞાનની સાધના અને ઉપાસના દ્વારા પોતાના અને વિશ્વના સત્યને પામવાનો પ્રયત્ન કરીને એ સત્યે ચીંધેલા સ્વ-પરકલ્યાણના માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરે છે – જે એક તબક્કે ધર્મપુરુષાર્થ અને બીજા તબક્કે મોક્ષપુરુષાર્થ તરીકે ઓળખાય છે, અને કોઈ જીવ એવા હોય છે કે જે પોતાના ચિત્તની શુદ્ધિનો અને ધ્યાનનો માર્ગ અપનાવીને એ માર્ગે, ધર્મપુરુષાર્થથી આગળના મોક્ષ-પુરુષાર્થ તરફ ઝડપથી ગતિ કરવા સજ્જ થાય છે. આમાંના કોઈ પણ માર્ગનું અપ્રમત્તભાવે અનુસરણ કરીને મોક્ષમંદિરના છેલ્લા પ્રવેશદ્વારરૂપ વીતરાગભાવ કે સમભાવને પ્રાપ્ત કરી શકાય છે. સંઘ કે સમાજમાં પ્રવર્તતી આત્મસાધનાની વૃત્તિ અને પ્રવૃત્તિની દિશામાં અવલોકન કરતાં કંઈક એમ લાગે છે કે ધર્મની આરાધનાના બીજા માગ કે ઉપાયોનું અનુસરણ કરનારાઓ કરતાં જ્ઞાનયોગ અને ધ્યાનયોગના માર્ગે જનારાની સંખ્યા ઘણી ઓછી છે. એ ઉપરથી લાગે છે કે બીજા માર્ગો કરતાં આ માર્ગ, સીધાં ચઢાણની જેમ, વધારે મુશ્કેલ હોવો જોઈએ. આનું મુખ્ય કારણ એ હોવું જોઈએ કે જ્ઞાનયોગ અને ધ્યાનયોગની સાધનાનો માર્ગ એ જ અપનાવી શકે કે જે પોતાની વૃત્તિઓને લોકેષણાના લોભામણા માર્ગે જતી રોકીને, તેમને અંતર્મુખ બનાવીને આંતરિક શોધ અને શુદ્ધિથી જન્મતી સચ્ચિદાનંદમય સ્થિતિની અનુભૂતિ મેળવવાની તમન્ના સેવતા હોય. અહીં જે જ્ઞાનયોગની સાધનાની વાત છે, તે કેવળ પોતાની જાત સંબંધી અથવા તો વિશ્વના સ્વરૂપ સંબંધી માહિતી મેળવવામાં જ પૂરી થતી નથી. આવો સ્વરૂપબોધ મેળવવાની સાથેસાથે એ જ્ઞાન જીવનસ્પર્શી એટલે કે જીવનને નીતિ-સદાચારના સામાન્ય ગુણોથી આગળ વધારીને હિંસા, અસત્ય, મોહ અને કષાયથી જન્મતી પ્રવૃત્તિઓથી ચિત્તને મુક્ત કરી અહિંસા, સંયમ, તપ, કરુણા, જેવા ગુણોની કેળવણી દ્વારા સમભાવની પ્રાપ્તિ અને પૂર્ણ આત્મસાક્ષાત્કાર કરવામાં સહાયક બનવું જોઈએ. આપણા ધર્મશાસ્ત્રકારોએ સાચું જ કહ્યું છે કે તે જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય કે અંતરમાં જેનો ઉદય થવાથી રાગ-દ્વેષ વગેરેનાં સમૂહ ટકી ન શકે (તનુજ્ઞાનમેવ ન મત મિત્કૃતિ વિમત VITU:). આવા જીવનસ્પર્શી અને સત્યલક્ષી જ્ઞાનયોગની સાધના ચિત્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy