SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૦, ૨૧ પ૩ છે, તેમાં તેઓએ અત્યારે આપણા કથળતા જતા સંગીત પ્રત્યે નીચેના શબ્દોમાં જૈન સંઘનું ધ્યાન દોર્યું છે : “આ વિષયમાં મારા અનુભવ પ્રમાણે પ્રથમની પૂજાઓ તરફ પ્રતિદિન દુર્લક્ષ થતું જોવામાં આવે છે એ શોચનીય છે. તેમ પ્રભુસ્તુતિનાં મહાપુરુષોએ રચેલાં સ્તવનો, પદો, આધ્યાત્મિક પદો પણ મોટે ભાગે અદય થતાં જોઈ હૃદય દુભાય છે. પણ તેનું મુખ્ય કારણ કેટલાક સમયથી સિનેમાના તખ્તા ઉપર રજૂ થતાં ગાયનોના રાગોમાં નવાં-નવાં રતવનોનો જે પ્રચાર વધતો જાય છે તે છે. સિનેમાના તખ્તા ઉપરનું સંગીત એ વ્યાકરણ વગરની ભાષા સમાન છે. એ મનસ્વીપણે ગોઠવેલા રાગોમાં એવા ટુકડાટુકડા ગોઠવેલા હોય છે કે કોઈ પણ કાવ્યકાર રીતસર કાવ્યના નિયમાનુસાર કાવ્ય ન લખી શકે. આથી સર્વ જૈન ગાયકોને મારી માનયુક્ત પ્રથમ એ સૂચના છે, કે પ્રભુભક્તિમાં પ્રથમ શાસ્ત્રીય સંગીતનો વિશેષ ઉપયોગ કરે અથવા દેશી સંગીત અને છેવટે નાટકી સંગીત; પણ સિનેમાના સંગીતનો તો વધુ ઉપયોગ ન જ કરે.” શ્રી પ્રાણસુખભાઈના ઉપરના ઉદ્દગારોમાં ઘણું તથ્ય છે, એક અનુભવીની સાચી સૂચના છે. “જેવું ધ્યાન ધરીએ તેવા થઈએ – એ નિયમાનુસાર પ્રભુભક્તિનાં કે આત્મધર્મનાં પદો કે કાવ્યો રચતી વેળાએ સિનેમાના ઢંગધડા વગરના કે ઊંડા ભાવ વગરનાં રાગો અને ગાયન તરફ જો ધ્યાન જાય, તો પરિણામે કાવ્યનો રાગ તો કથળે, ઉપરાંત ભાષા પણ છીછરી બને અને કાવ્યના મુખ્ય આત્મારૂપ ભાવ તો ત્યાંથી ક્યારનો અદશ્ય થઈ જાય ! શબ્દોના લટકામટકામાં રાચતાં આજના કેટલાંય કાવ્યો આ વાતની સાખ પૂરે એમ છે. એટલે પ્રભુભક્તિનું ગાંભીર્ય, કાવ્યતત્ત્વનું ગૌરવ, ભાષાની પ્રૌઢતા, સંગીતનું શાસ્ત્રીયપણું અને ભાવનાનું ઉચ્ચગામીપણું એ બધું જાળવવું હોય તો આજનાં જોડકણાંઓ રચવાનું તરત બંધ કરવાની જરૂર છે. આવા બિલાડીના ટોપની જેમ વગર ભણ્ય ઊભરાઈ ગયેલા નામધારી કવિઓ થોડાક ઓછા થઈ જશે તો તેથી સમાજને કશી હાનિ થવાની નથી; ઊલટું કાવ્ય અને સંગીતનું ધોરણ ઊંચું જવાથી સરવાળે મોટો લાભ જ થવાનો છે. (તા. ૨૫-૮-૧૯૫૪) (૨૧) સ્વાથ્ય અને સાધના વચ્ચે મેળની જરૂર થોડા વખત પહેલાં એક ભાવુક ભાઈ મળ્યા. એમણે જાણે ગૌરવ લેતા હોય એમ કહ્યું : શરીર સારું હોય એ જરૂરી છે, અને એ માટે પ્રયત્નશીલ રહેવામાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy