SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જિનમાર્ગનું અનુશીલન અહિંસા-સત્યમય મૂળભૂત માર્ગની તો કોઈ ખામી નથી, પણ વ્યક્તિની પોતાની ખામીને લીધે ક્યારેક આવું બની જાય છે. અહિંસાના વ્યાપક પ્રસારમાં રસ ધરાવતા અને એ માટે પ્રયત્ન કરતા સ્થાનકવાસી ફિરકાના ઉદાર મુનિવર્ય શ્રી સુશીલકુમારજીનું ધ્યાન જૈનધર્મના અનુયાયીઓમાં પ્રવેશી ગયેલ આ ખામી તરફ ઠીક-ઠીક પ્રમાણમાં ગયું લાગે છે. ચારેક મહિના પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલા કારમીરના પ્રવાસ દરમિયાનના એક સમારંભમાં બોલતાં મુનિશ્રી સુશીલકુમારજીએ અહિંસા અને સત્યના પાલન પ્રત્યે આપણામાં આવી ગયેલ ભેદ-દષ્ટિ અંગે જે સૂચક ઉગારો કાઢ્યા હતા તેની નોંધ શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ પ્રબુદ્ધજીવનના તા. ૧૬-૧૦૧૯૬ ૧ના અંકમાં રજૂ કરી છે, તે અહીં સાભાર રજૂ કરીએ છીએ: “અધ્યક્ષસ્થાને મુનિ સુશીલકુમારજીએ ઉપસંહાર કર્યો, અમને આવકાર્યા, આશીર્વાદ આપ્યા, અને અહિંસાના વિષયનું વિવરણ કરતાં એક ભારે સૂચક દષ્ટાંત આપ્યું, જે અહીં અવતરિત કરવાના લોભને હું રોકી શકતો નથી. આપણે નિરામિષાહારી – કોઈ પણ પશુ-પ્રાણીની હિંસા ન કરીએ – એ કારણે આપણાથી અન્ય રીતે રહેનારા-જીવનારા મનુષ્યોથી આપણી જાતને ચડિયાતી – વધારે ઊંચી - માનીએ છીએ. પણ અહિંસા સાથે જોડાયેલા એક ક્ષેત્રમાં આપણે મોટું ઊંચું રાખીને ફરીએ તેવું કાંઈક છે, તો બીજા ક્ષેત્રમાં આપણું દેવાળું છે, અને જેમને આપણે નિમ્ન કોટિના માનવીઓ લેખીએ છીએ તેમના જીવનમાં આપણને શરમાવે એવું ઊંચું તત્ત્વ જોવા મળે છે. તેથી આ ઊંચ-નીચપણાનું, ચડિયાતા-ઊતરતાપણાનું અભિમાન અર્થ વિનાનું છે એ વિચારને રજૂ કરતાં તેમણે દષ્ટાંતરૂપે જણાવ્યું : “આસામમાં નાગા’ નામની એક જાતિ રહે છે. એ આપ સર્વ જરૂર જાણતા જ હશો. હવે આજના જૈનોનો અને તેમના ભિન્નભિન્ન નૈતિક સ્તરનો આપણે વિચાર કરીએ. ધારો કે કોઈ એક જૈનને એક પશુને પ્રત્યક્ષ મારવા બદલ કોઈ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરે, તો પણ હું નથી માનતો કે એવો એક પણ જૈન આવું હિંસક કૃત્ય કરવાને તૈયાર થાય. બીજી બાજુએ આ નાગા લોકોમાંથી કોઈ એકને એમ કહેવામાં આવે કે જો તું અમુક માનવીનું ગળું કાપીને તેનું માથું લઈ આવે તો તને સો રૂપિયા આપવામાં આવશે તો આવું કરપીણ કૃત્ય કરવા માટે તૈયારી દાખવતા એક નહિ પણ અનેફ નાગાઓ નીકળી આવશે. હવે આ બાબતનો અન્ય પરિસ્થિતિના સંદર્ભમાં વિચાર કરીએ. ધારો કે અદાલતમાં આપણામાં કોઈનો મુકદમો છે; તે જીતવા માટે ખોટી સહીવાળા ખતની અથવા તો ખોટી સાક્ષી આપવાની જરૂર છે – આમ કરવાથી પ્રતિવાદીને હરાવી-હંફાવી તેને ઘણું નુકસાન કરી શકાય તેમ છે. આ માટે બસો, પાંચસો કે હજારની રકમની લાલચ આપવામાં આવે તો જૈન સમાજ આજે જે નૈતિક સ્તર ઉપર ઊભો છે, તે વિચારતાં, આવું કૃત્ય કરવા માટે, મને શક નથી, કે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy