SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૭ (૧૭) અહિંસા અને સત્ય વચ્ચે સમતુલાની જરૂર જીવનશોધનમાં જ જીવ્યાની ધન્યતા છે; અને જીવનશોધનનો શ્રેષ્ઠ ઉપાય છે અહિંસા અને સત્યની સાધના. હકીકતે અહિંસા અને સત્ય એક જ સિક્કાની બે બાજુ છે; તેમાંથી એકના અભાવમાં બીજાની સાધના અધૂરી જ રહે છે. આમ છતાં પોતપોતાની દૃષ્ટિ, સમજણ કે સાધનાની દિશા પ્રમાણે અહિંસા અને સત્યમાં ગૌણમુખ્યભાવ બદલાતો રહે છે. છતાં અહિંસાને સત્યથી કે સત્યને અહિંસાથી સાવ નિરપેક્ષ તો માનવામાં આવતાં જ નથી, મતલબ કે આત્મસાધના માટે અહિંસા અને સત્ય બંને અનિવાર્ય છે. જૈનધર્મની સાધનાનું લક્ષ્ય મિત્તે પે સદ્ગમૂT (સર્વ જીવો સાથેની મૈત્રી) હોવાને લીધે એણે અહિંસાને કેન્દ્રમાં સ્થાપન કરી, અને ઘમ્મસ ના વયા કહી દયા કે કરુણાને ધર્મની માતા તરીકે બિરદાવી. આમ છતાં જૈનધર્મે સત્યની પણ અહિંસા જેટલી જ પ્રતિષ્ઠા કરવાના હેતુથી કહ્યું : સવે નીમ સામૂર્ય (સત્ય એ તો વિશ્વમાં સારભૂત છે) અને સM AMIT કવ િસે મહાર્વી મારે તારુ (સત્યની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતો બુદ્ધિશાળી મૃત્યુને પાર કરી જાય છે). આમ જેનધર્મે પણ આત્મસાધના માટે અહિંસા અને સત્યની સમતુલાનો સ્વીકાર કર્યો છે. અને છતાં સામાન્ય જનસમૂહમાં જૈન ધર્મની ઓળખ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ રીતે જીવન જીવવાનું ઉદ્દબોધન કરનાર ધર્મ તરીકે જ છે. અને તેથી જૈનધર્મના ઘણાખરા વિધિ-નિષેધો સૂક્ષ્મ અહિંસાના પાલનની દૃષ્ટિએ જ યોજાયા હોય એમ લાગે છે, અલબત્ત, સત્ય, અચૌર્ય વગેરે વ્રતોને માટે પણ જરૂરી વિધિ-નિષેધો યોજાયા જ છે. તો પણ અહિંસાને લગતા વિધિ-નિષેધો જૈનધર્મના અનુયાયીઓના વર્તનમાં આગળ પડતા દેખાઈ આવે છે, અને તેમાં ય ખાનપાનના નિયમોમાં આ વિધિ-નિષેધો વિશેષ સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે. ધર્મને નામે થતી યાજ્ઞિક પશ-હિંસાનો કે જિલ્લાની લોલુપતાને કે હ્રધાને સંતોષવાના હેતુથી કરવામાં આવતા માંસાહારનો જૈનધર્મે ધરમૂળથી વિરોધ કર્યો છે એ તો ખૂબ જાણીતું છે. આને લીધે નિત્યના સામાન્ય જીવન-વ્યવહારમાં જૈનધર્મના અનુયાયીઓનું ધ્યાન અહિંસા-વ્રત ઉપર વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું હોય એ સ્વાભાવિક છે. પણ તેથી, આત્મસાધના માટેના કાર્યક્રમમાં, એક સિદ્ધાંત તરીકે, સત્યનું પણ અહિંસા જેટલું જ મહત્ત્વ સ્વીકારાવા છતાં, સામાન્ય વ્યવહારમાં સત્ય તરફનું લક્ષ કંઈક ઢીલું થયું હોય એમ લાગે છે. આમ થવામાં ધર્મે આત્મસાધના માટે ઉદ્દબોધેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy