SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જિનમાર્ગનું અનુશીલન (૧૨) સગુણ અને સંપત્તિ સદ્ગણ ને સંપત્તિ કેટલા પ્રમાણમાં સાથેસાથે ચાલી શકે એ એક પ્રાચીન કાળથી ચાલ્યો આવતો અને ચર્ચાતો પ્રશ્ન છે. સદ્દગુણોના વિકાસ દ્વારા જીવનને ઉચ્ચાશયી બનાવવા માટે ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તિતિક્ષા અને તપ ઉપર જે રીતે ભાર આપવામાં આવે છે, એ જ એમ સૂચિત કરે છે કે સંપત્તિ સગુણોના વિકાસમાં ભાગ્યે જ ઉપયોગી બની શકે છે અને સંપત્તિને કારણે અધોગતિ થયાના ભૂતકાળના અને વર્તમાન સમયના જોઈએ તેટલા દાખલા મળી શકે એમ છે. ચીનના મહાન ધર્મવેત્તા અને તત્ત્વચિંતક કૉન્ફવ્યસે સદ્દગુણને સર્વનું મૂળ ગણાવતાં, અને સગુણની ઉપેક્ષા કરીને સંપત્તિને મહત્ત્વ આપવા જતાં આવી પડનાર નુકસાન તરફ આંગળી ચીંધતાં યોગ્ય જ કહ્યું છે – “રાજકર્તાઓએ તો પોતાના સદ્ગણના સંબંધમાં પહેલાં સંભાળ રાખવી જોઈએ. સદ્દગુણ હોવાથી તેને લોકો મળશે, લોકો હોવાથી તેને મુલક મળશે, મુલક હોવાથી તેને સંપત્તિ મળશે, સંપત્તિ હોવાથી તેને ખરચનાં સાધન મળશે. સદ્ગણ એ સર્વનું મૂળ છે, સંપત્તિ તેની શાખાઓ છે. જો મૂળને માણસ પોતાનું ગૌણ લક્ષ્ય બનાવશે અને શાખાઓને મૂળ લક્ષ્ય કરશે, તો તેથી તે માત્ર લોકોને ગુસ્સે કરશે અને તેમને અપ્રામાણિકતા શીખવશે. તેટલા માટે સંપત્તિનો સંચય એ લોકોને વિખેરવાનો માર્ગ છે અને સંપત્તિની વહેંચણી લોકોને એક કરવાનો માર્ગ છે. તે જ પ્રમાણે જ્યારે તેના શબ્દો, જે સત્ય છે તેને અનુકૂળ પડતા નથી હોતા, ત્યારે તે જ શબ્દો તે જ રીતે તેની પાસે પાછા આવે છે, અને ખોટે માર્ગે લીધેલી સંપત્તિ તે જ રસ્તે તેનો ત્યાગ કરી જાય છે.” (“કોન્ફયૂશ્યસની શિખામણ પૃ. ૯૬-૯૭) દેખીતી રીતે તો કૉન્ફયૂશ્વસનું આ કથન રાજ્યકર્તાઓને ઉદ્દેશીને ઉચ્ચારાયું છે. પણ એમાં સદ્દગુણ અને સંપત્તિ વચ્ચેનો મુખ્ય-ગૌણભાવ સાચવવાનું જે કહ્યું છે, તે સૌ કોઈને ઉપયોગી થાય એવું છે. ઉપરાંત, એમણે સંપત્તિના સંચયનો લોકોને વિખેરવાના માર્ગરૂપે અને સંપત્તિની વહેંચણીનો લોકોને એક કરવાના માર્ગરૂપે જે નિર્દેશ કર્યો છે, એ ખૂબ ધ્યાનમાં લેવા જેવો અને એમના અનુભવના નિષ્કર્ષસમો છે. (તા. ૯-૮-૧૯૬૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy