SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ જિનમાર્ગનું અનુશીલન આ ઉપરાંત સાધ્વીઓના વેશ વગેરેમાં પણ થોડોક ફેરફાર ઇચ્છનીય છે. આ તો જ્યારે કળાનો ઊંચો આદર્શ સામે રાખીને આ ચિત્રો દોરવામાં આવ્યાં છે અને એ દૃષ્ટિએ જ એનો વિચાર કરીએ છીએ, ત્યારે થોડીક બાબતો ધ્યાન દોરવા જેવી ગણાય. બાકી તો આપણે ત્યાં હજારો રૂપિયા ખર્ચીને ઢંગધડા વગરનાં અને રંગના લપેડાઓથી જોવાં પણ ન ગમે એવાં ચિત્રો તૈયાર થાય છે, એની સામે કોણ કહેવા જાય છે? એટલે આ ચિત્રોમાંની આવી બાબતોને લીધે તેમનું કળાનું મૂલ્ય ઓછું આંકવાની મુદ્દલ જરૂર નથી. જેમ ધર્મને શાસ્ત્ર અને પરંપરા હોય છે, તેમ કળાને પણ પોતાનું આગવું શાસ્ત્ર અને આગવી પરંપરા હોય છે, અને એ જ કળાકારને માટે વધુ માર્ગદર્શક બને છે. એટલે આપણને લાગતી આવી ખામીઓ કળાને સાચી રીતે સમજવામાં આડે ન આવવી જોઈએ. એટલે એકંદર આ ચિત્રો અને સુંદર, કળાપૂર્ણ અને નવી ભાતનાં લાગ્યાં છે. અમે તેને આવકારીએ છીએ. આ ચિત્રોની કિંમત જો કે સત્તાવાર રીતે જાણવા મળી નથી, છતાં જાણવા પ્રમાણે એમાં ત્રીશ હજાર રૂપિયાનું ખર્ચ થયું છે. કોઈને છ ચિત્રોની આટલી કિંમત વધુ લાગે એ સ્વાભાવિક છે. અમને પોતાને પણ આ વાત ગળે ઉતારવી અઘરી લાગી છે; છતાં ચિત્રોની કળાનું મૂલ્યાંકન કરતી વખતે એની કિંમતનો વિચાર વચ્ચે લાવવો વાજબી નથી. કળાની કિંમત નહીં પણ કદર જ હોવી જોઈએ – એ જૂનું અનુભવવાક્ય યાદ રાખવા જેવું છે. એટલે કિંમતને નજર સામે રાખીને કળાનું મૂલ્ય કરવા કરતાં કળાનું કળાની કસોટીએ જ મૂલ્ય કરવું ઘટે. વળી આ બાબતમાં આપણે એટલો ઇતબાર જરૂર રાખી શકીએ કે આ કળાકૃતિઓ તૈયાર કરાવનાર શેઠ આ. ક. ની પેઢીના આગેવાનો ખૂબ કરસકરથી કામ લેવાની કળાના જાણકાર છે; એટલે એમના હાથે નિરર્થક ખર્ચ થવાની ચિંતા કરવાની જરૂર નથી. વળી આ જાતનો આપણો આ નવો પ્રયત્ન છે, એટલે એના સાચા મૂલ્યનો કદાચ આજે આપણને બરાબર ખ્યાલ પણ ન હોય. આ ઉપરાંત સૌથી વિશેષ નોંધપાત્ર વાત તો એ છે, કે હીરા-માણેક કે સોનાચાંદીના પરિગ્રહપરાયણ માર્ગે ધાર્મિક નાણું ખર્ચવાના આપણા જમાનાજૂના ચીલાને છોડીને, આપણે, ચોર ચોરી ન શકે અને રાજ હરી ન શકે, અને છતાં યુગો સુધી પ્રજાને પ્રેરણા આપી શકે એવી કળામાં નાણું ખર્ચવાનો નવો ચીલો પાડ્યો છે. શેઠશ્રી કસ્તૂરભાઈએ આ ચિત્ર પ્રદર્શનના ઉદ્દઘાટન પ્રસંગે સાચું જ કહ્યું છે, કે નાણાંનો પ્રશ્ન જૈનોએ ગૌણ ગણ્યો છે. આપણી પ્રાચીન કળાને આ રીતે સજીવન થતી જોઈને તેમ જ એનું આવું બહુમાન થતું જોઈને એક વાત, જે લાંબા વખતથી મનમાં ઘર કરીને બેઠી છે, તે કહેવાનું મન થઈ જાય છે. પાંચ-છ વર્ષ પહેલાં ગુજરાતના એક સિદ્ધહસ્ત કલાકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy