SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૧ ૫૨૧ અમને પોતાને આ ચિત્રોમાં ખાસ કરીને ભ. ઋષભદેવનાં વર્ણ, વેશ અને આકૃતિ અંગે વિચાર કરવા જેવું લાગ્યું છે. ભગવાનનો કાંચન જેવો વર્ણ – ‘જસ કંચનવર્ણી કાયા છે – જૈનસંઘમાં વ્યાપકપણે પ્રસિદ્ધ છે. આ ચિત્રોમાં કોઈ સ્થળે ઘઉલો અને કોઈ સ્થળે ભીનો વાન બતાવ્યો છે; તે ખામી દૂર થઈ શકે તો સારું. બીજી વાતઃ જૈન શાસ્ત્રોમાં પહેલા અને ચોવીસમા તીર્થંકરનો અચલક ધર્મ કહ્યો છે તે ધ્યાનમાં લઈને કળાકારોએ કેવળજ્ઞાન વખતની તેમ જ સમવસરણમાંની ભગવાનૂની આકૃતિ વસ્ત્ર વગરની આલેખી હોત તો તે વધુ ઉચિત ગણાત. એ ખરું કે પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોમાં કોઈ સ્થળે ભગવાનનું ચિત્ર વસ્ત્રયુક્ત મળતું હશે, અને કળાકારોએ એનો જ આધાર લીધો હશે; છતાં જેમ કોઈકોઈ સમવસરણના ચિત્રમાં તીર્થકરને મુગટ, કુંડળ કે આભૂષણોથી શોભતાં ચીતર્યા હોવા છતાં, આ ચિત્રમાં ભગવાનને એવા નહીં ચીતરવાનો કળાકારોએ વિવેક રાખ્યો, તે જ રીતે શાસ્ત્રીય હકીકતને ખ્યાલમાં રાખીને ભગવાનની આકૃતિને વસ્ત્ર વગરની ચીતરી હોત તો એથી કળામાં કોઈ ખામી ન આવત અને શાસ્ત્રની વાત જળવાત. આકૃતિના સંબંધમાં, કેવળજ્ઞાન વખતની આકૃતિ કરતાં સમવસરણમાંની ભગવાનની આકૃતિ ઓછી ચિત્તાકર્ષક લાગે છે. અને ગૃહસ્થાવસ્થાનાં ચિત્રોમાંની ભગવાની કેટલીક આકૃતિઓમાં તો, એક યુગવિધાયક પુરુષસિંહમાં આપણે ન કલ્પી શકીએ, અથવા આપણને જોવી ન રુચે એટલી હદની (કંઈક સ્ત્રીસહજ) સુકોમળતા આવી ગઈ છે. પ્રાચીન ચિત્રોને આદર્શરૂપ રાખવા છતાં, ચિત્રકારો જો ધારત તો આ ખામીને અવશ્ય દૂર કરી શકત, અને એમ ચિત્રોને વધુ હૃદયસ્પર્શી બનાવી શકત. આમ નાયકનું ચિત્ર કંઈક ઠંડું પડવાને કારણે, ચિત્રોની ગોઠવણી ખૂબ સરસ હોવા છતાં, સમગ્ર ચિત્રમાં એની અસર પડ્યા વગર રહેતી નથી. પરિણામે, ચિત્રનો પ્રભાવ કિંઈક કમજોર બની જાય છે. આની સામે મુખ્ય વ્યક્તિના ચિત્રને વેગવાન બનાવવાથી આખું ચિત્ર કેવું મનમોહક અને ઉઠાવદાર બની જાય છે એના દાખલા તરીકે આ છ ચિત્રોમાંના ભગવાનના જન્માભિષેક સમયના બીજા ચિત્રને જ રજૂ કરી શકાય. કલાની ઊંડી-ઊંડી કે ઝીણી-ઝીણી વાતના જાણકાર હોવાનો તો અમારો દાવો નથી, પણ પ્રથમ દૃષ્ટિએ અમને આ છ યે ચિત્રોમાં નજરને એકદમ પકડી રાખે અને મનને એકદમ ભાવી જાય એવું સૌથી ચડિયાતું તો આ બીજું ચિત્ર જ લાગે છે. તેનું મુખ્ય કારણ એ ચિત્રના મધ્યવર્તી પાત્ર સૌધર્મેન્દ્રની આકૃતિ કળાકારોએ ખૂબ જ મધુર અને વેગવાનું ચીતરી છે એ છે. ભગવાન્ ઋષભદેવની આકૃતિમાં પણ આવું કોઈ તત્ત્વ ઉમેરાયું હોત તો આ ચિત્રોની આકર્ષકતા ખૂબ વધી જાત એવો અમારો નમ્ર મત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy