SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧ જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી પ્રતિકૃતિઓ, માઈક્રોફિલ્મ વગેરે સામગ્રી એકત્ર કરવી અને એ બધાથી માહિતગાર દેશ-વિદેશના અનેક વિદ્વાનો સાથે પરિચય કેળવવો જરૂરી હતો. એમાં પણ કંઈ ઓછાં સમય, શક્તિ કે પૈસાથી કામ ચાલે એમ ન હતું. પણ એ બધી કસોટીઓમાંથી મુનિ શ્રી જંબૂવિજયજી સફળતાથી પાર ઊતર્યા. (૪) આવા શાસ્ત્રીય ગ્રંથના સંપાદનમાં પાઠાંતરો વગેરે રૂપે સંખ્યાબંધ ટિપ્પણી હોય એ સમજી શકાય એવી વાત છે. પણ મુનિશ્રીએ ગ્રંથને અંતે અનેક બાબતોના ખુલાસા રૂપે જે સેંકડો ટિપ્પણ આપ્યાં છે, તે એમની બહુશ્રુતતા અને દરેક વાતના મૂળ સુધી પહોંચી જઈને જિજ્ઞાસુને એથી સુપરિચિત કરવાની તીવ્ર સત્ય-શોધક/ પ્રસારક દૃષ્ટિનો પરિચય આપે છે. એ ટિપ્પણો લખવામાં એમણે કેટલું એકાગ્ર વાચન, ચિંતન કર્યું હશે! આ ટિપ્પણો અંગે મુનિશ્રી જંબૂવિજયજીએ પોતે જ પ્રસ્તાવનામાં (પૃ. ૮૧) લખ્યું છે – “નવચક્ર પાછળ જે ટિપ્પણો જોડેલાં છે તે ઘણાં વિસ્તૃત છે. “નયચક્ર' તથા નયચક્રવૃત્તિમાં આવતા તે-તે પાઠોનું સમર્થન, સ્પષ્ટકરણ તથા તુલના આદિ એ ટિપ્પણોમાં વિસ્તારથી આપેલું છે. સંશોધન, સમર્થન અને સ્પષ્ટીકરણ બને ત્યાં સુધી બીજા ગ્રંથોના આધારથી કરવું કે જેથી એ પ્રમાણભૂત બને – આ અમારી પદ્ધતિ છે.” (૫) વૈશેષિક દર્શનનાં અત્યારે પ્રચલિત સૂત્રો અને પ્રાચીન કાળનાં સૂત્રો વચ્ચે કેવો તફાવત છે તેની પરિશિષ્ટરૂપે નોંધ આપી છે. વાદો અને વાદીઓ તેમ જ ગ્રંથો અને ગ્રંથકારોને લગતાં પણ પરિશિષ્ટો આપ્યાં છે. એમણે આ સંપાદનમાં ઉપયોગમાં લીધલાં પુસ્તકોની યાદી ઉપરથી પણ આપણને એ વાતનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી, કે આ ગ્રંથના સંપાદનને માટે એમણે કેટલી બધી જહેમત લીધી છે, અને ગ્રંથની સંકલનામાં એક પણ નબળી કડી રહી જવા ન પામે એ માટે કેટલી બધી તકેદારી રાખી છે! આવી અનેક વિશેષતાઓને લીધે જ અમે આને “સંપાદન' માન્યું છે. શ્રી જૈન આત્માનંદ સભા છેવટે જે સંસ્થા તરફથી આ મહાન ગ્રંથનો ચાર અર સુધીનો પહેલો ભાગ પ્રકાશિત થયો છે અને નવ અર સુધીનો ભાગ છપાઈ ગયો છે, અને બાકીનો ભાગ છપાઈ જઈને થોડા વખતમાં આખો ગ્રંથ પ્રકાશિત થવાની ઉમેદ છે) એ શ્રી જૈન આત્માનંદ સભા અંગે કંઈક લખવું પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy