SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ જિનમાર્ગનું અનુશીલના આ સંમેલને પોતાની મર્યાદાનો બરાબર વિચાર કરીને આ ઠરાવોને “ભલામણ કરવા જેવું સામાન્ય રૂપ આપ્યું હોય તો તે માટે એને કંઈ કહી શકાય નહીં. જો એણે આ ઠરાવોને એક મહત્ત્વની બાબત તરફ લાગતા-વળગતા સહુ કોઈનું ધ્યાન દોરવા પૂરતા જ મર્યાદિત ન રાખતાં તેમાં અર્ધમાગધી ભાષાના અભ્યાસને વેગ મળે એવી એકાદ નાનીસરખી પ્રવૃત્તિ પણ હાથ ધરવાની જવાબદારી પોતાને શિરે ઉઠાવવાની તૈયારી દાખવી હોત, તો તે વધુ કારગત, પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની શકત. પણ એ તો હવે ભૂતકાળની વાત બની; એટલે એ સંમેલન આ દિશામાં જે થોડું પણ કરી શકહ્યું એ માટે આપણે તો અનો ગુણ જ સ્વીકારવો ઘટે. પણ જ્યારે પણ આપણે અર્ધમાગધી ભાષાની મહત્તા કે એના અધ્યયન-અધ્યાપનની આવશ્યકતાની વાત કરવી હશે, ત્યારે માત્ર આવી ભલામણો કે આવાં સૂચનોથી આપણું કામ મુદ્દલ નથી સરવાનું એ માટે તો આપણે જૈનસંઘે) પોતે અમુક પૂર્વતૈયારી કરવી જ પડશે. અને એવી પૂર્વતૈયારી હશે તો પછી આપણી આવી ભલામણો કે આપણાં આવાં સૂચનો પણ શતશત રૂપે સફળ થયા વિના નહીં રહે - અરે, એવી પૂર્વતૈયારી હશે તો આવી ભલામણો કે આવાં સૂચનો ઉચ્ચારવાની ઝાઝી જરૂર જ નહીં રહે. અર્ધમાગધી ભાષાના અભ્યાસના પ્રચાર માટેની પૂર્વતૈયારીની વાતથી અમે જે સૂચવવા માગીએ છીએ એનો થોડોક ખુલાસો કરીએ. આ પૂર્વતૈયારીના બે અર્થ છે ઃ પહેલો તો એ કે જેમ આપણે ઠેરઠેર જૈન પાઠશાળાઓ ચલાવીએ છીએ અને એમાં અર્ધમાગધી ભાષાનાં સૂત્રોનો મુખપાઠ કરાવીએ છીએ અને એનો અર્થ પણ શીખવીએ. છીએ, તે જ રીતે અર્ધમાગધી ભાષાના અધ્યયનને માટે પણ ગોઠવણ કરવી જોઈએ. આ માટે અર્ધમાગધીના અધ્યાપકો (શિક્ષકો તૈયાર કર્યા વગર નહીં ચાલે. આવા અધ્યાપકો તૈયાર થતાં આપણી ધાર્મિક શાળાઓમાં ભણતાં આપણાં બાળકોમાં અર્ધમાગધીનો પ્રચાર વધવાની સાથોસાથ બીજા જે અર્ધમાગધીના અભ્યાસમાં અંગતપણે શિક્ષકની સહાયતા ચાહતા હશે, તેમને માટે પણ સગવડ ઊભી થઈ શકશે. જો આ ભાષાના અભ્યાસને વેગ આપવો હશે, તો અનુરૂપ શિક્ષકોની ખોટ પૂરી કરવા આવી જોગવાઈ કર્યા વગર આપણો છૂટકો નથી. દસ-પંદર વર્ષ લગી આ કાર્યને જો આપણે ઉત્તેજન આપીએ તો તે જરૂર થઈ શકે. આપણા મુનિવરો જો ધારે, તો આ દિશામાં ખૂબખૂબ ઉપયોગી કામ કરી શકે તેમ છે. આ પૂર્વતૈયારીનો બીજો અર્થ એ છે કે અર્ધમાગધીના ઊંડા અને સંશોધનપૂર્ણ અધ્યયન માટે આપણે જુદાજુદા પ્રદેશમાં થઈને ચાર-પાંચ એવાં સંશોધન-અધ્યાપન-કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ, જ્યાં આ ભાષાનો અભ્યાસ કરવા ઇચ્છનાર ગમે તે વ્યક્તિને ઉચ્ચ અધ્યયનની પૂરતી સગવડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy