SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જિનમાર્ગનું અનુશીલન “ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી' નામની સંસ્થાએ “ભારતીય પ્રાચીન વિજ્ઞાન' એ વિષયનો ઇતિહાસ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે, અને અત્યાર સુધીમાં આ ઇતિહાસને લગતી સામગ્રી એકત્રિત કરવા માટે સંસ્કૃત, અરેબિક અને પશિયન સાહિત્યમાંથી વિજ્ઞાન સંબંધી જે માહિતી મળી શકે એમ છે, એને શોધવા અને સંગ્રહવાનો પ્રયત્ન એકેડેમી દ્વારા થતો રહ્યો છે. પણ પ્રાકૃત અને પાલિભાષાના સાહિત્યમાંથી પણ આવી ઉપયોગી અને મહત્ત્વની સામગ્રી મળી શકે એમ છે એ વાત તરફ એકેડેમીનું ધ્યાન નહોતું ગયું. થોડા વખત પહેલાં, આ માટે દિલ્હી યુનિવર્સિટી તરફથી એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. એમાં હાજર રહેવાનું ડૉ. સિફદરજીને પણ આમંત્રણ મળ્યું હતું. આ સેમિનારનું પ્રમુખપદ આપણા દેશના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. ડી. એસ. કોઠારીએ સંભાળ્યું હતું. શ્રી સિફદરજીએ આ સેમિનારમાં પોતાનો માહિતીપૂર્ણ નિબંધ વાંચીને ભારતીય પ્રાચીન વિજ્ઞાનનો ઇતિહાસ તૈયાર કરવા માટે પ્રાકૃત અને પાલિભાષાના સાહિત્યનું કેટલું મહત્ત્વ છે, અને જૈન શાસ્ત્રોમાં પરમાણુ અને એની શક્તિ વિશે કેટલી બધી ઉપયોગી માહિતી સંચાવાયેલી છે તે સચોટપણે અને પ્રતીતિકર રીતે સમજાવ્યું હતું. શ્રી સિફદરજીની આવી આધારભૂત રજૂઆતથી ડૉ.કોઠારી તથા અન્ય વિદ્વાનો પ્રભાવિત થયા હતા. પરિણામે આ સેમિનારને અંતે ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીએ પ્રાચીન વિજ્ઞાનના ઈતિહાસની સામગ્રી એકત્ર કરવા માટે સંસ્કૃત, અરેબિક અને પર્શિયન સાહિત્ય ઉપરાંત પાલિ અને પ્રાકૃત સાહિત્યમાંથી પણ આવી સામગ્રી એકત્રિત કરીને એને પ્રકાશિત કરવાને લગતા ઠરાવ કર્યો હતો અને આ માટે વિદ્વાનોની પેનલ રચીને તે-તે વિષયના નિષ્ણાતોની સહાય લેવાનું પણ ઠરાવામાં આવ્યું હતું. આને પરિણામે નેશનલ કમિશન ફૉર કંપાઇલેશન ઑફ હિસ્ટ્રી ઓફ સાયન્સીસ ઇન ઇન્ડિયા'(ભારતીય વિજ્ઞાનોના ઇતિહાસના સંકલન માટેનું રાષ્ટ્રીય સંગઠન)ની સલાહકાર-સમિતિમાં શ્રી. સિફદરજીને લેવામાં આવ્યા છે. શ્રી સિદરજીએ “શ્રી ભગવતીસૂત્ર' ઉપર પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો હતો, એ ઉપરથી જૈન સાહિત્યના એમના અભ્યાસનો ખ્યાલ આવે છે. પ્રાકૃત અને પાલિભાષાના અધ્યયનને માટે આવી ઉપયોગી સેવા બજાવવા માટે અમે ડૉ. સિફદરજીને અભિનંદન આપીએ છીએ. (તા. ૭-૧૨-૧૯૭૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy