SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ જિનમાર્ગનું અનુશીલન અને ચૂર્ણિઓનું સમુચિત અધ્યયન નન્દી અને અનુયોગના આધારે જ થઈ શકે એમ છે. ડૉ. ત્રિપાઠીએ એમના પત્રમાં આપને અનુયોગ-ચૂર્ણિઓના પ્રકાશન અંગે લખ્યું છે, મને વિશ્વાસ છે કે આપનો આ ગ્રંથ જલદી જ પ્રકાશિત થશે. આ દિવસોમાં હું આપને એક પુસ્તક મોકલું છું, જેમાં જર્મનીના સંસ્કૃત પ્રોફેસરોનાં ચિત્રો સંગ્રહાયેલાં છે. કૃપયા એનો સ્વીકાર કરી મને આભારી કરશો. આપનો ક્લાસ જૂન જર્મનીમાં સમગ્ર ભારતીય વિદ્યાની બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ શાખાઓનું અધ્યયન શરૂ થયું એ વાતને સો-સવાસો વર્ષ તો થયાં જ. આ વિદ્યાનું વ્યાપક અને ઊંડું ખેડાણ કરનારા દિગ્ગજ વિદ્વાનો જર્મનીમાં પાડ્યા છે, અને અત્યારે પણ – ભલે પહેલાં કરતાં ઓછી માત્રામાં – આવું અધ્યયન ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં ચાલી રહ્યું છે એનો એક વધુ પુરાવો તે ઉપરનો પત્ર છે. પોતાનું વક્તવ્ય ડૉ. બ્રૂને સંક્ષેપમાં છતાં સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યું છે. ડૉ. બ્રૂને પોતાના પત્રમાં ડૉ. ત્રિપાઠીનો ઉલ્લેખ કર્યો છે. ડૉ. ત્રિપાઠી ગુજરાતના વિદ્વાનુ છે; એમનું નામ છે શ્રી ચંદ્રભાલ ત્રિપાઠી. તેઓ કેટલાંક વર્ષથી જર્મનીમાં ભારતીય વિદ્યાના સંશોધનનું કામ કરી રહ્યા છે. પહેલાં તેઓ બૌદ્ધ ધર્મ અને સાહિત્યના અધ્યાપન અને સંશોધનનું કામ કરતા હતા. હવે એમનું ધ્યાન ખાસ કરીને જૈન આગમોના અધ્યયન-સંોધન તરફ દોરાયું છે. એ કહેવાની જરૂર નથી, કે જૈન ગણિપિટક એટલે, કે જૈન આગમોનાં અધ્યયન-અધ્યાપન-સંશોધનમાં બૌદ્ધ ત્રિપિટકોની જાણકારીનો ખૂબ-ખૂબ ઉપયોગ છે. મતલબ કે જૈન અને બૌદ્ધ એમ બે મુખ્ય શાખા ધરાવતી શ્રમણ-સંસ્કૃતિના અભ્યાસ માટે એ બંને ધર્મોના મૂળ ગ્રંથોનો તલસ્પર્શી અને વ્યાપક અભ્યાસ જરૂરી છે. એટલે ડૉ. ત્રિપાઠી દ્વારા જૈન આગમોના અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં ઉપયોગી કાર્ય થશે એવી આશા જરૂ૨ રાખી શકાય. ડૉ. બ્રૂનની સેવાઓ પણ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે એમાં શંકા નથી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પશ્ચિમના (અને બીજા પણ) દેશોના વિદ્વાનો ભારતીય વિદ્યાનું અધ્યયન-સંશોધન કરવા પ્રેરાયા એને લીધે વૈદિક અને બૌદ્ધ સાહિત્યનું તેમ જ સંસ્કૃતિનું જેટલું અધ્યયન-સંશોધન થયું, તેના પ્રમાણમાં જૈન સાહિત્ય તેમ જ સંસ્કૃતિનું અધ્યયન ઘણું ઓછું થયું છે. આમાંનું કેટલુંક અધ્યયન-સંશોધન નમૂનેદાર થયું છે એ સાચું છે, પણ એનો વિસ્તાર જોઈએ તેટલો થઈ શક્યો નથી. પરિણામે, જૈનવિદ્યાનાં અનેક ક્ષેત્રો હજી પણ અણખેડાયેલાં રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy