SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશન : ૧ પશ્ચિમી દેશોમાં આગમોનાં અધ્યયન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ મુખ્યત્વે જર્મનીમાં થઈ હતી; અને કમે-કમે એનું થોડુંઘણું અનુસરણ બીજા દેશોમાં પણ થયું હતું. આ રીતે પરદેશમાં જૈન આગમને લગતી આ પ્રવૃત્તિ શરૂ થયાને પણ આશરે એક સૈકો થઈ ગયો. આપણા દેશમાં, જૈનસંઘમાં આગમગ્રંથોના સંશોધન-પ્રકાશનની કાર્યવાહી અંગેની વિગતો આ પ્રમાણે છે : બંગાળના અજીમગંજ-મકસુદાબાદના વતની રાય ધનપતસિંહની ભાવના આપણાં ૪૫ આગમસૂત્રોને છપાવીને પ્રગટ કરવાની થઈ. પોતાની આ ભાવનાને સફળ કરવાની દિશામાં પહેલા પગલા રૂપે એમણે તપગચ્છના તે વખતના મહાપ્રભાવિક સંઘનાયક શ્રી બુટેરાયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ભગવાનવિજયજી પાસે અગિયાર અંગસૂત્રોમાંના દશમા અંગસૂત્ર “પ્રશ્નવ્યાકરણસૂત્રનું, એની ટીકા સાથે સંશોધન કરાવીને, એનું પ્રકાશન વિ. સં. ૧૯૩૩માં કર્યું હતું. પછી તો ક્રમેક્રમે બીજાં આગમસૂત્રો અને એની ટીકાઓનું પણ એમના તરફથી પ્રકાશન થયું હતું. કોઈ પણ નવા વિચાર અને કાર્યનો, શરૂઆતમાં વિરોધ કરવો એ સંપ્રદાયની સહજ પ્રકૃતિ ગણાય છે; એ રીતે રાય ધનપતસિંહે શરૂ કરેલ આગમપ્રકાશન જેવા ઉત્તમ કાર્યનો પણ પ્રારંભમાં કેટલોક વિરોધ થયો હતો. પણ પોતાના આ કાર્યની ઉપયોગિતા અને ઉપકારકતાની તેઓને ખાતરી હતી, એટલે વિરોધથી વિચલિત થયા વગર તેઓએ પોતાના કાર્યને ચાલુ રાખ્યું. તેઓની આ પ્રવૃત્તિ જૈનસંઘને માટે કેવી લાભકારક અને આવકારપાત્ર સાબિત થઈ, તે પછીના સમયે સ્પષ્ટપણે પુરવાર કરી આપ્યું. તેઓની આ પ્રવૃત્તિ ૧૪-૧૫ વર્ષ (વિ. સં. ૧૯૪૭ સુધી) ચાલુ રહી હતી. આ પછી, ૨૦-૨૨ વર્ષ બાદ, આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિજીનો આગમપંચાંગીના સમુદ્ધારનો જાણે એક નવો જ યુગ શરૂ થયો; તે આશરે ૩૫ વર્ષ સુધી ચાલુ રહ્યો. તેઓએ મોટે ભાગે એકલે હાથે આગમ-પંચાંગીનાં સંશોધન અને પ્રકાશનનું જે ભગીરથ કાર્ય અસાધારણ મોટા પ્રમાણમાં કર્યું, તે ઘટના જિનવાણીના રક્ષણ દ્વારા જૈનસંઘ ઉપર પરમ ઉપકાર કરનાર પ્રભાવક શ્રમણભગવંત શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણનું સ્મરણ કરાવે એવી છે. આગમપ્રકાશન અંગેની તેઓની ઝડપી અને વિસ્તૃત કામગીરી જોતાં તો એમ જ લાગે છે કે આ કાર્યનો તેઓએ પોતાના પવિત્ર જીવનકાર્યરૂપે જ સ્વીકાર કર્યો હતો. તેઓશ્રીની હયાતી દરમિયાન જ જૈનસંઘને “આગમપ્રભાકર' મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી જેવા શાસ્ત્રવેત્તા અને સમગ્ર આગમસાહિત્યમાં અસાધારણ નિપુણતા ધરાવતા શ્રવણભગવંતની ભેટ મળી એને પણ મોટો પુણ્યયોગ લેખવો જોઈએ. તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy