SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૭ સંસ્કૃતિનાં બધાં અંગો, જેવાં કે જૈન તત્ત્વજ્ઞાન, આચાર, યોગ, ઇતિહાસ, કળા, સાહિત્ય વગેરેના જાણકાર ઓછામાં ઓછા એક વિદ્વાન્ તો એવા હોય કે જે જૈન સંસ્કૃતિના કોઈ પણ પાસાના જિજ્ઞાસુની જિજ્ઞાસાને દોરી શકે; સાથોસાથ ભારતીય સંસ્કૃતિની વૈદિક, બૌદ્ધ જેવી ઇતર શાખાઓથી પણ તે ઠીકઠીક પરિચિત હોય. તો આવું ગ્રંથાલય કેવળ ગ્રંથનું સંગ્રહાલય બનવાને બદલે જૈનવિદ્યાનું જીવંત કેન્દ્ર બને. કદાચ કોઈને અમારા આ વિચારો મનોરમ કલ્પનાના ઉડ્ડયન જેવા લાગે. વળી કદાચ આ વિચારોમાં કંઈ પણ નક્કર૫ણું હોય તો એનો અમલ કંઈ આવો એકાદ અગ્રલેખ લખવામાત્રથી થઈ જાય એવી અપેક્ષા પણ ન રાખી શકાય એ વાત પણ અમારા ખ્યાલ બહાર નથી. આમ છતાં આનો અમલ ભલે આપણી શક્તિ અને સાધનોના પ્રમાણમાં – શરૂ કરવાનો વખત તો પાકી જ ગયો છે; આમાં જે કંઈ વિલંબ થશે તે આપણને હાનિ જ કરશે એટલી અમને ખાતરી છે. - બે-એક સ્થાનમાં આવાં ગ્રંથાલયોની સ્થાપના થઈ રહી હોવાનું અને એમાં જૈનસંસ્કૃતિના જાણકાર સુયોગ્ય વિદ્વાન્ની નિમણૂક થઈ કે થવાની હોવાનું જાણવાથી અમને તો આ વિચાર વ્યવહારુ હોવાની પ્રતીતિ થયા વગર નથી રહેતી. ૩૪૭ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનોની મોટી સખાવતથી અમદાવાદમાં સ્થપાયેલ ‘શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' એ કેવળ હસ્તલિખિત અને મુદ્રિત ભારતીય સાહિત્યગ્રંથોનું સર્વાંગસંપૂર્ણ સંગ્રહાલય જ નહીં, પણ જૈન તેમ જ ભારતીય સંસ્કૃતિનાં ઇતર અંગોના અધ્યયન-સંશોધનનું એક નમૂનેદાર કેન્દ્ર પણ બનવાનું છે. વળી એનું સંચાલન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા સત્યશોધક સમગ્રદર્શી વિદ્વાનના હાથમાં સોપાયું છે, ત્યારે તો એ ભારતીય સંસ્કૃતિના સર્વ જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને માટે જ્ઞાનની પરબરૂપ સાબિત થવાનું છે એમાં જરા ય શંકા નથી. આ જ રીતે, બનારસમાં, હિંદુ યુનિવર્સિટીના કંપાઉન્ડમાં જ સ્થપાયેલ શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ'માં એક વિશાળ ગ્રંથાલય વસાવવાનો અને એમાં પણ જૈન સંસ્કૃતિના જાણકાર વિદ્વાન્ની નિમણૂક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બે તો આપણું વધારે ધ્યાન ખેંચે એવા અને સમર્થ ગ્રંથાલયની આપણી જરૂ૨ને પહોંચી શકે એવાં હોવાથી એનો નિર્દેશ કર્યો છે. નાના પાયા ઉપર તો જુદાંજુદાં સ્થાનોમાં આવા પ્રયત્નો થઈ જ રહ્યા છે. એટલે જો આપણા છૂટાછૂટા પ્રયત્નોમાં એકરૂપતા લાવીએ તો આ કાર્ય અવશ્ય થઈ શકે. Jain Education International શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તૈયા૨ કરેલ મૂળ જૈન આગમોના પ્રકાશનની યોજનાના પ્રારંભના સમારંભ પ્રસંગે, મુંબઈ જેવા શ્રીમંત જૈનોથી સમૃદ્ધ શહેરમાં એક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy